સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગોંડલમાં કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો
સેન્ટ એડિબલ ઓઇલ કલસ્ટર સહિત વિવિધ યોજના અંગે માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ દ્વારા ગોંડલ સ્થિત મહારાજા સર ભગવતસિંહ ટાઉન હોલ ખાતે ભવ્ય કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય મડાપ્રબંધક મોહિત કોડનાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા તથા બેંકિંગ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખેડૂતોની સમૃદ્ધિ તથા ગ્રામ્ય અર્થતંત્રના સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કોડનાણીએ ગોંડલ વિસ્તાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલી “સેન્ટ એડિબલ ઓઈલ ક્લસ્ટર યોજના” અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે ક્ષેત્રીય પ્રમુખ મુકેશ યાદવે બેંક દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કૃષિ ધિરાણ યોજનાઓ, કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ખેડૂતલક્ષી પહેલોની માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને બેંકની યોજનાઓનો લાભ લઈને કૃષિ ઉત્પાદકતા અને આવકમાં વધારો કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં નાબાર્ડના ડીડીએમ ધર્મેન્દ્ર ચૌહાણ, ગોંડલ નગરપાલિકાના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ એપીએમસીના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન અને પ્રિન્સિપાલ એચ. ડી. રાંક, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઢોલરિયા, ગોંડલ શાખાના શાખા પ્રબંધક અમિતાભ આનંદ, નગરપાલિકાના અગ્રણી પ્રતિનિધિ દીપકભાઈ ગોલાણી તથા શ્રેયા પીનટ્સના તુષારભાઈ ઠુમર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એચ.ડી.રાંકે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, વૈજ્ઞાનિક ખેતી અને કૃષિ ક્ષેત્રે થતાં નવીન સંશોધનો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાયું હતું. જ્યારે નાબાર્ડના ડીડીએમ ધર્મેન્દ્ર ચૌડાણે કૃષિ અને ગ્રામ વિકાસમાં સંસ્થાકીય ધિરાણની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રકાશ પાક્યો હતો. રાજેન્દ્રસિંહ જાડેજાએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ અનોખી પહેલને બિરદાવી બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ કૃષિ યોજનાઓના અમલીકરણમાં સંપૂર્ણ સડયોગ આપવાની ખાતરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ડતા અને કૃષિ ધિરાણ, કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય બેંકિંગ ઉત્પાદનો અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. બેંકના અધિકારીઓ દ્વારા ખેડૂતોની ધિરાણ સંબંધિત વિવિધ જિજ્ઞાસાઓનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.આ કૃષિ ક્રેડિટ આઉટરીચ કેમ્પ દરમિયાન અંદાજે રૂા. 100 કરોડના ધિરાણ પ્રસ્તાવોનું કેનવાસિંગ કરવામાં આવ્યું હતું તેમજ રૂા. 40 કરોડ જેટલા કૃષિ ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સફળ આયોજન અને સંકલન ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ તેમજ ગોંડલ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ક્ષેત્રીય કાર્યાલયના મુખ્ય પ્રબંધક રવિ કુમારે ઉપસ્થિત મહાનુભાવો, ખેડૂતો તથા સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


