ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
વન વિભાગની કામગીરી સામે સવાલો
અગ્ર ગુજરાત, ધારી
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા એક મંદિરના પાછળના ભાગમાંથી આ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં વન વિભાગની બેદરકારી પણ સામે આવી છે. સિંહનો મૃતદેહ મળ્યાના કલાકો બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચતા સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતના ચોક્કસ કારણનો ખુલાસો થઈ શકશે.


