By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 hours ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

Editor
Last updated: 2026/06/19 at 4:54 PM
1 hour ago
Share
મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત
SHARE

અમેરિકા-ઈરાન શાંતિ કરારથી અચ્છે દિનની આશા

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

હોર્મુઝ સ્ટ્રેટમાં પુરવઠો સામાન્ય બનતાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની શક્યતા; પેટ્રોલ, LPG, દવાઓ, ટાયર અને કૃષિ ઇનપુટ્સ પર પડી શકે સીધી અસર.

પરિવહન, કૃષિ અને ઘરગથ્થુ ખર્ચ પર પડશે સકારાત્મક અસર

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ બાદ શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગનસ્ટોક રિસોર્ટ ખાતે યોજાનારી ઐતિહાસિક શાંતિ વાટાઘાટો ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે આર્થિક રાહતના સમાચાર લઈને આવી શકે છે. બંને દેશો વચ્ચે સંભવિત શાંતિ કરાર અમલમાં આવ્યા બાદ વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા આવવાની અને કાચા તેલના ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત તેની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર આધારિત છે. ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદનો, LPG અને ફૂડ ઓઈલની આયાત માટે ભારત હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ પર નિર્ભર છે. યુદ્ધ અને તણાવના કારણે આ માર્ગ પર ઉભા થયેલા અવરોધોથી વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો હતો. હવે શાંતિ કરારથી પુરવઠો સામાન્ય બનવાની શક્યતા હોવાથી પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં રાહત મળી શકે છે.
કાચા તેલના ભાવમાં ઘટાડો માત્ર ઈંધણ પૂરતો મર્યાદિત નહીં રહે. ડીઝલના ભાવ ઘટતાં માલસામાનના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે શાકભાજી, ફળો અને અન્ય દૈનિક વપરાશની ચીજવસ્તુઓના ભાવ પર પણ સકારાત્મક અસર પડી શકે છે. કૃષિ ક્ષેત્રમાં વપરાતા ખાતર અને અન્ય ઇનપુટ્સના ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
પેટ્રોલિયમ આધારિત કાચા માલમાંથી બનેલા અનેક ઉત્પાદનો જેમ કે સિન્થેટિક યાર્ન, પ્લાસ્ટિક, રબર અને પેટ્રોકેમિકલ્સ સસ્તા બનતાં કપડાં, ડિટર્જન્ટ, સાબુ, કોસ્મેટિક્સ અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. રેડીમેડ ગાર્મેન્ટ્સ, સ્પોર્ટ્સવેર, કાર્પેટ અને પડદાં જેવા ઉત્પાદનોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાથી ગ્રાહકોને સીધો લાભ મળી શકે છે. આ ઉપરાંત તબીબી ક્ષેત્રમાં વપરાતી અનેક વસ્તુઓ પર પણ તેની અસર જોવા મળી શકે છે. દવાઓ, સિરીંજ, ગ્લુકોઝ બોટલ, મેડિકલ ટ્યુબ, ગ્લોવ્સ અને માસ્ક જેવા ઉત્પાદનોમાં વપરાતા કાચા માલના ખર્ચમાં ઘટાડો થવાથી તેમની કિંમતો પણ નીચે આવી શકે છે.
ટાયર ઉદ્યોગને પણ મોટી રાહત મળી શકે છે. ટાયર બનાવવા માટે જરૂરી સિન્થેટિક રબર પેટ્રોલિયમ આધારિત હોવાથી કાચા તેલના ભાવ ઘટતાં ઉત્પાદન ખર્ચ ઓછો થશે. પરિણામે વાહનચાલકોને ટાયરની ખરીદીમાં પણ ફાયદો થઈ શકે છે.
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ઘટાડો થવાથી એરલાઇન્સ કંપનીઓના ખર્ચમાં રાહત મળશે. જેના કારણે ભવિષ્યમાં હવાઈ મુસાફરી વધુ સસ્તી બનવાની શક્યતા છે. અર્થશાસ્ત્રીઓના મતે જો કાચા તેલના ભાવ લાંબા ગાળે નીચા રહે તો દેશમાં ફુગાવાનો દર પણ નિયંત્રણમાં આવી શકે છે. જેના કારણે રિઝર્વ બેંક માટે વ્યાજદર સ્થિર રાખવા અથવા ઘટાડવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પરિણામે હોમ લોન, કાર લોન અને બિઝનેસ લોનના EMI પર પણ રાહત મળવાની શક્યતા છે. આમ અમેરિકા-ઈરાન શાંતિ કરાર માત્ર વૈશ્વિક રાજકીય ઘટના નહીં, પરંતુ ભારતના સામાન્ય નાગરિકના રસોડાથી લઈને મુસાફરી, દવાઓ અને લોન સુધીના ખર્ચ પર સકારાત્મક અસર કરનારી આર્થિક તક સાબિત થઈ શકે છે.

પેટ્રોલ-ડીઝલમાં મળશે રાહત

કાચા તેલના ભાવ ઘટવાની શક્યતા
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
પરિવહન ખર્ચ ઓછો થશે

LPG સિલિન્ડર થઈ શકે સસ્તા

ભારતની 88% LPG આયાત આ માર્ગથી
પુરવઠો સરળ બનશે
ઘરેલુ ગેસના ભાવ સ્થિર અથવા ઓછા થઈ શકે

ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાની આશા

આયાતમાં સરળતા આવશે
બજારમાં ઉપલબ્ધતા વધશે
રસોઈ ખર્ચ ઘટી શકે

કપડાં અને ઘરગથ્થુ વસ્તુઓ સસ્તી થશે

સિન્થેટિક યાર્ન અને પ્લાસ્ટિક સસ્તાં
ડિટર્જન્ટ, સાબુ અને કોસ્મેટિક્સમાં રાહત
રેડીમેડ ગાર્મેન્ટ્સના ભાવ ઘટી શકે

દવાઓ અને મેડિકલ સામગ્રીમાં ઘટાડો

સિરીંજ, ગ્લોવ્સ, માસ્ક સસ્તાં થઈ શકે
મેડિકલ પેકેજિંગ ખર્ચ ઘટશે
દવાઓના ઉત્પાદન ખર્ચમાં રાહત

ખેડૂતોને મળશે ડબલ ફાયદો

ખાતર સસ્તાં થવાની શક્યતા
જંતુનાશકોના ભાવ ઘટી શકે
ખેતી ખર્ચમાં ઘટાડો

ટાયર અને રબર ઉદ્યોગને રાહત

સિન્થેટિક રબર સસ્તું થશે
ટાયર ઉત્પાદન ખર્ચ ઘટશે
વાહન માલિકોને સીધો ફાયદો

હવાઈ મુસાફરી અને EMIમાં રાહત

ATF સસ્તું થતાં એરફેર ઘટી શકે
ફુગાવો નિયંત્રણમાં રહેવાની આશા
હોમ, કાર અને બિઝનેસ લોનના EMI પર અસર શક્ય

 

You Might Also Like

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

ગામ કે શહેર? હવે વસ્તી નહીં, વિકાસ નક્કી કરશે ઓળખ

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
રાજકોટ

નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા

Editor By Editor 1 day ago
ગોંડલની અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત
કુખ્યાત રામદેવ ડાંગર ગેંગ પર ગુજસીટોકનો સકંજો, ત્રણ ઝડપાયા
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?