By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 hours ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોમનાથ મંદિર નજીક રક્ષિત શિલાલેખની સ્થિતિ અંગેના સવાલ સામે તંત્રનું ભેદી મૌન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોમનાથ મંદિર નજીક રક્ષિત શિલાલેખની સ્થિતિ અંગેના સવાલ સામે તંત્રનું ભેદી મૌન

Editor
Last updated: 2026/08/20 at 3:28 PM
14 minutes ago
Share
સોમનાથ મંદિર નજીક રક્ષિત શિલાલેખની સ્થિતિ અંગેના સવાલ સામે તંત્રનું ભેદી મૌન
SHARE

સોમનાથ મંદિર નજીક રક્ષિત શિલાલેખની સ્થિતિ અંગેના સવાલ સામે તંત્રનું ભેદી મૌન

કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા

પુરાતત્વ વિભાગનું પણ ભેદી મૌનથી અનેક તરકવીતર્કો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાત્રીના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ચકચાર મચી છે. ડીમોલેશન બાદ હાલ સ્થળ પર કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા છે. તો સોમનાથના કોંગી ધારાસભ્યએ પણ તંત્રની કામગીરીને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાં મધરાત્રીના સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ડીમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બુલડોઝર સહિતના સાધનોની મદદથી બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ સ્થળની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ પણ હતું. બોર્ડ પર ‘ફારસી શિલાલેખ’ અંગેની માહિતી આપવામાં આવી હતી. બોર્ડ મુજબ અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જીદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું.

પુરાતત્ત્વ વિભાગના બોર્ડમાં સ્પષ્ટપણે આ શિલાલેખને ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સ્થળ પર અન્ય એક શિલાલેખ અંગે પણ જૂનાગઢ સ્ટેટના ‘એનશન્ટ મોન્યુમેન્ટ’ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ હતું. જેમાં શિલાલેખને નુકસાન પહોંચાડનાર, તેને બેડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ દર્શાવાઈ હતી. હવે ડીમોલેશન બાદ આ સ્થળે કાટમાળ જોવા મળતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલ સ્થિતિ શું છે? શિલાલેખને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં આવ્યો છે કે ડીમોલેશન દરમિયાન તેને કોઈ નુકસાન થયું છે, તે અંગે હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

તો બીજી તરફ તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સોમનાથ જેવા ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળે રક્ષિત સ્મારકની સ્થિતિ અંગે તંત્ર અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

સોમનાથ ખાતે મંદિર નજીક તંત્ર દ્વારા કરવામાં આવેલી ડીમોલેશનની કામગીરીના અહેવાલો વચ્ચે ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવી સમગ્ર કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, એક તરફ તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને બીજી તરફ મધ્યરાત્રિના સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને કામગીરી કરવામાં આવી છે. જો તંત્રની કામગીરી નિયમોનુસર અને પારદર્શક હોય તો રાત્રિના અંધારામાં કામગીરી કરવાની જરૂર શું પડી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

You Might Also Like

સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરીયન ડે અંતર્ગત પરીસંવાદ યોજાયો

સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ દ્વારા આરોગ્યલક્ષી ભવ્ય શિબિર યોજાઇ

રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ

મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી

જન્માષ્ટમીની ધર્મ યાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી
ગુજરાતરાજકોટ

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

Editor By Editor 6 days ago
કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
સોમનાથમાં ‘સ્વદેશી હાટ બજાર’ની ૮ દુકાનોમાંથી ૩૪ કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો
આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો બનાવવાની માંગ પ્રવીણ તોગડિયાની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?