અમરેલીના ચિતલમાં સ્વ.નકુભાઈ દેસાઈની સ્મૃતિમાં 128 મો નેત્રે યજ્ઞ યોજાયો
તાલુકા પંચાયતના ત્રણેય પક્ષના ઉમેદવારોની હાજરી
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી ના ચિતલ સ્વ. નકુભાઈ દેસાઈ ની સ્મૃતિ માં ચિત્તલમાં 128 મો નેત્રે યજ્ઞ યોજાયો હતો. તાલુકા પંચાયત ના ત્રણ પક્ષ ના ઉમેદવારો ના હસ્તે દીપ પ્રાગટ્ય સંત રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૬/૦૪/૨૬ ના રોજ સ્વ. નકુભાઈ દેસાઈના સ્મરણાર્થે એમના પુત્ર જેરામભાઈ અને ભાયાભાઇ ના સંયોગથી 128 માં નેત્રણી દાન કેમ્પ યોજવામાં આવશે જેનું ઉદ્ઘાટન ચિતલ બેઠક પર થી તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સુરેશભાઈ પાથર (ભાજપ) રવજીભાઈ મકવાણા (કોંગ્રેસ) પરેશભાઈ પલવાર( આપ) તેમજ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિરેનભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં.
આ નેત્ર્ય ગ્રહમાં 79 દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી 29 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ ચૂંટણીના મતદાન વચ્ચે ત્રણેય રાજકીય પક્ષના ઉમેદવારો એક સાથે ઉપસ્થિત રહી દીવ પ્રાગટ્ય કરી સેવા કાર્યને આવકાર્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા દિનેશભાઈ મેશિયા બીપીનભાઈ દવે, સવજીભાઈ વાઘેલા, છગનભાઈ કાછડીયા રવજીભાઈ બાબરીયા રામભાઈ અસલાલીયા, ખોડાભાઈ ધંધુકિયા, બકુલભાઈ ભીમાણી, જે.પી. માંગરોળીયા, કાળુભાઈ માંગરોળીયા વગેરે જહેમત ઉઠાવી હતી.


