પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા પાર્ટીના આગેવાનો, નેતાઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓની નિષ્ઠા, વિચારધારા અને સંગઠનની ભાવના મજબુત બને તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સમયાનુસાર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સુચના અનુસાર સમગ્ર રાજયના ભારતીય જનતા પાર્ટીના રાજયના કેબીનેટ મંત્રીઓ, રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, શહેર સંગઠન ટીમો, શહેર મોરચાની ટીમો, વોર્ડના પ્રભારી, પ્રમુખ મહામંત્રીઓ સહિતના આગેવાનો કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન-ર ના પ્રશિક્ષણ અભિયાનના પ્રદેશ નિયુકત ઝોન સ: ઈન્ચાર્જશ્રી પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડયા અને પ્રદેશ કારોબારી સભ્ય સૌરાષ્ટ્ર ઝોન-૧ ના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણીની ઉપસ્થિતિ તેમજ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 ના ઈન્ચાર્જ રાજકોટ શહેર મહામંત્રી લલીતભાઇ વાડોલીયા, સંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક પૂર્વ શહેર ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલની આગેવાનીમાં આયોજન બેઠક યોજવામાં આવેલ હતી.
આ આયોજન બેઠકમાં પ્રશિક્ષણ અભિયાનના પ્રદેશ નિયુકત ઝોન સ: ઈન્ચાર્જપૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડયા અને પ્રદેશ કારોબારી સભ્ય સૌરાષ્ટ્ર ઝોન-૧ ના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણીએ પોતાના સંયુકત વકતવ્યમાં જણાવ્યું હતું કે, આ તાલીમ વર્ગની પહેલ સંગઠનાત્મક પ્રશિક્ષણને વર્તમાન આવશ્યકતાઓ અનુસાર નવા વિચારો અને નવી પદ્ધતિઓથી આગળ વધારવાનો પ્રયાસ છે. પ્રશિક્ષણને માત્ર ભાષણ અથવા PPT સુધી સીમિત ન રાખી, સંવાદને પ્રત્યક્ષ અભ્યાસ અને પ્રયોગ સાથે જોડવામાં આવશે. પ્રશિક્ષણના વિષયો કાર્યકર્તાઓના વ્યવહારિક કાર્યો અને આવશ્યકતાઓ સાથે સીધા જોડવામાં આવશે. ડિજિટલ ઉપક્રમો જેમ કે ડિજિટલ હાજરી અને પ્રમાણપત્ર દ્વારા પ્રશિક્ષણને વ્યવસ્થિત બનાવવામાં આવશે, શિક્ષણના સ્તરનું મુલ્યાંકન કરવા માટે માત્રાત્મક મૂલ્યાંકન સરલ એપ દ્વારા કરવામાં આવશે અને આ પહેલ ત્રણ સ્તંભો પર આધારિત છે. જેમાં સંવાદ અને અનુભવ આધારિત પ્રશિક્ષણ, ડિજિટલ ઉપક્રમ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ આધારિત હશે, વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રશિક્ષણ અભિયાન વર્ગોથી ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓની વિચારધારા મજબુત બનશે, જેનો ફાયદો દેશના વિકાસને સતત આગળ ધપાવવાનું કામ કરશે.
આયોજન બેઠકમાં પ્રશિક્ષણ અભિયાનના પ્રદેશ નિયુકત ઝોન સ: ઈન્ચાર્જ પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડયા અને પ્રદેશ કારોબારી સભ્ય સૌરાષ્ટ્ર ઝોન-૧ના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, સંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક પૂર્વ શહેર ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રી સહિત તમામ વિષયના વકતાઓ તેમજ આયોજન બેઠકના અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


