દિવસે શેકાયા બાદ રાતે પણ બફાતા શહેરીજનો
રાજકોટમાં ૪૨ ડિગ્રી, આકાશમાંથી અગનવર્ષા
મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર: ભેજના પ્રમાણમાં વધારો થતા ઉકળાટ અનુભવતા લોકો
કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી: આગામી દિવસોમાં આભમાંથી આફત વરસશે, નિષ્ણાંતોની ચેતવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. દિવસભર રાજકોટવાસીઓએ ભારે ગરમી અને સાંજે ઉકળાટનો અનુભવ કર્યો હતો. રંગીલા રાજકોટમાં સાંજ પડતાં જ ઠંડકનો અનુભવ થતો હોય છે, પરતુ હાલ રળિયામણી રાત પણ ગરમ લાગી રહી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદમાં 40.2°C, ગાંધીનગરમાં 39.6°C, વડોદરામાં 39.6°C, સુરતમાં 37.5°C અને અમરેલીમાં 40.9°C મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતા તેના પ્રભાવ હેઠળ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે.
દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો મિજાજ આકરો બન્યો છે. આજે 21 એપ્રિલ, 2026ના રોજ સુરત શહેરમાં ભીષણ ગરમીનો અનુભવ થયો હતો, જેમાં મહત્તમ તાપમાન 37.5°C નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24.4°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 57% જેટલું ઊંચું રહેતા સુરતીઓએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણમાં પવનની ગતિ બિલકુલ શાંત (00 kmph) રહેતા અને હવાનું દબાણ 1008.9 hpa નોંધાતા બપોરના સમયે લૂ વાતી હોય તેવો અહેસાસ થયો હતો. ગરમીના કારણે બપોરે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાના સંકેત આપી રહ્યો છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42°C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41°C; ગાંધીનગર અને ડીસામાં 40°C; ભુજ અને સુરતમાં 39°C; ભાવનગરમાં 37°C; કંડલામાં 36°C; નલિ

આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44°Cનો આંકડો પાર કરી ગયા છે.
યા અને દમણમાં 35°C; પોરબંદરમાં 34.4°C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33°C તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી નીચું 31°C તાપમાન નોંધાઈ શકે છે.
દેશના ઘણા ભાગોમાં
મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે.
આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે.
બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ
રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.


