અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
પાલિતાણા પરચાની નહી, મારી દ્રષ્ટિએ પરિચયની ભૂમિ છે
સંકલ્પ સિધ્ધિ થશે તો આપણે સિધ્ધિઓમાં ફસાય જશું! સંકલ્પ સિધ્ધ કરતા સંકલ્પશૃધ્ધિ જરૂરી છે
પરચાને પરિચય મેળવો
તપ અને સાધનાની ભૂમિ, વિશ્વ સુપ્રસિધ્ધ જૈનતીર્થ પાલિતાણાના પરમ-દિવ્ય વાતાવરણમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ શિવસંકલ્પ’ના સાતમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમમયસંવાદ આગળ વધારતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે સંકલ્પ સિધ્ધ થાય એ સારૂ છે એના કરતાં, મારો સંકલ્પ શૃધ્ધ થાય એવું ન વિચારી શકાય? સંકલ્પ સિધ્ધ થશેને તો સિધ્ધિઓમાં ફસાય જશું. પરચામાં માણસ આંધળો થઇ જાય છે, પરચા કરતા પરિચય મેળવો. પરિચયમાં માણસ જાગતો દેખતો થઇ જાય છે. માણસનો શબ્દ પણ ઔષધ છે કોઇ બૃધ્ધપુરૂષ સાધુ બોલે તો એ શબ્દ ઔષધ છે. સ્પર્શ પણ ઔષધ છે. વિદૂષિ વિમલાભાઇ કહે છે કે મને કાનની બિમારી હતી. જદુમૂર્તિ (જે કૃષ્ણમૂર્તિ)એ મારા કાનને સ્પર્શ કર્યોને મારી બિમારી દૂર થઇ ગઇ! તો સ્પર્શ પણ ઔષધ છે. ઘણાનું દર્શન જ ઔષધ છે. રસ-રસાયણ ઔષધ છે, અમુક પ્રકારની ગંધ-સુગંધ પણ ઔષધ છે.
આ રોજ સૂરજ ઉગે છે, કમળ ખીલે છે એના જેવો બીજો પરચો કયાં છે? બાપ પરચાને બદલે એ જે કંઇ બને ઘટે છે એ એનો પરિચય છે. સીધો પરિચય છે. આ ભૈરવનાથ મંદિરના શુકલદાદા-ગોરદાદાએ મને એક વાત કહી કે બાપુ રણછોડગિરિબાપુ સ્મશાનમાં દિગંબર રહેતા હતા. એક વખત રણછોડગિરિબાપુ ભૈરવનાથના દર્શન કરવા આવે છે અને ત્યારે રાજા રાણી પણ દર્શન કરવા આવે છે. હવે રણછોડગિરિબાપુ તો દિગંબરાવસ્થામાં જ આવેલા તો રાજાએ વિનમ્ર ભાવે વિનંતી કરી કે બાપુ મંદિરમાં પ્રજાજનો આવ્યા છ઼ે તો તમે આ શાલ પહેરી લો તો સારૂ. લોકલાજ માટે અને પ્રજાને પણ સંકોચ ન થાય એટલે રણછોડગિરિબાપુએ શાલ લઇ લીધી અને પહેરી લીધી પછી ભૈરવનાથના દર્શન કરીને બહાર ચોકમાં આવ્યા, રાજા-રાણી પણ બહાર આવ્યા. રસ્તામાં રણછોડગિરિબાપુએ રાજાની સામે શાલ હવામાં ફેંકીને શાલ સળગાવી નાંખી! આ પરચો છે પણ મારી દ્રષ્ટિએ શાલ સળગી ગઇ એટલે બાપુએ રાજાને મોટો કરી બતાવ્યો કે તમે ઉઘાડાને ઢાંકો છો આ છે પરિચય સાધુનો સીધો પરિચય. રણછોડગિરિબાપુના મનમાં આવું હશે કે જે ઢાંકે છે એ મોટો છે. રાજાને મોટો કર્યો કેમ કે ઢાંકે ઇ મોરો છે. આ સિધ્ધિનો પરચો નથી આ સાધુનો સીધો પરિચય છે બાપ!
સિધ્ધિ સંકલ્પ માટેની પ્રોસેસ છે. મહાભારત અંતર્ગત વિષ્ણુ સહસ્ત્ર નામનો એક મંત્ર છે એમાં પણ સંકલ્પ શબ્દનો મહિમા ગવાયો છે. તો સંકલ્ધસિધ્ધિની પ્રોસેસના સાત મુદ્દા છે. (૧) જેટલું બને એટલું એકાંત સેવો-કઠીન છે પણ એકાંતમાં રહો (૨) મૌન રહો-મૌન એ આપણી સંપદા છે અને સાચવો (3) પ્રાણબાળ વધારવું, મજબૂત કરવું. પૂ.મોટા અને રંગઅવધૂત પણ પ્રાણબળ વધારવાના હિમાયતી છે. (૪) પોતાના મનને સદગુરૂ ચરણ રજથી સ્વચ્છ રાખવું. મનશૃધ્ધિ મનની નિર્મળતા (૫) આપણા જેવા માટે દેહશૃધ્ધિ જરૂરી છે. સંકલ્પ સિધ્ધિ માટે દેહશૃધ્ધિ આવશ્યક છે. અવધૂતોની વાત અલગ છે. (૬) ચિતની એકાગ્રતા (૭) કોઇપણક્ષેત્રમાં સંકલ્પ સિધ્ધ થયો હોય તો ભૂલેચૂકેય એનો અહંકાર ન આવે એ ખાસ ધ્યાન રાખવું.
આપણા સંકલ્પ સિધ્ધિ કેમ થાય? કારણ કે અણહક્કનું ખાઇ ખાઇને આપણી જીત સળગી ગઇ છે, આપણા હાથ સળગી ગયા છે. ન જોવાનું જોઇને આપણી દ્રષ્ટિ સળગી ગઇ છે. તો કેવી સંકલ્પ સિધ્ધિ થાય! અને પરચોને બદલે પરિચય મેળવો. મને પરચામાં બૌરૂચિ નથી. મેં તલગાજરડામાં વરસાદ માટે યજ્ઞ કરાવ્યો. જોવા માટે કે યજ્ઞ કરવાથી વરસાદ આવે તો મેં તલગાજરડામાં સોમયજ્ઞ કરાવ્યો. પણ વરસાદ જ ન આવ્યો કયારેક-કયારેક છાંટા આવતા હતા ઇ પણ બંધ થઇ ગયા! આ વાત મેં ત્યારે (તલગાજરડામાં) કોઇને કિધી ન્હોતી છેક આજે તમને કહું છું. પણ યજ્ઞ કરો એટલે તમારા આંગણામાં કે ગામમાં જ વરસાદ આવે એવું નથી. અમે ડોંગરે બાપાની સ્મૃતિમાં કથા માટે પ્રસન્ન ગયા, કથા કરવા તો ત્યાં ખૂબ વરસાદ આવ્યો…!!
પાંડુરંગદાદા એક વાત કહેતા: એક ભાઇના લગ્ન થયા. તો ગામડામાં તમે જાણો છો કે વહેનુ તેડું કરવા આવે. તો માવતર પક્ષના લોકો તેડું કરવા આવ્યા. રિવાજ પ્રમાણે દિકરીને લેવા આવ્યાને કીધું કે તેડું કરી જાય છીએ અને દિવાળી પછી મૂકી જશું. તો તેડું કરવા આવ્યા અને બે વાગ્યાની બસ શહતી તો એક વાગ્યે થોડુંક એકાંત મળતા બંને મળે છે ત્યારે પત્ની કહે કે મારા બાપને ઘેર સમૃધ્ધિ છે પણ હવે હું તમારી પત્ની બની છું તો મને એક હજાર રૂપિયા આપો. હું વાપરીશ નહી અને મારાઅ માવતે મને ખર્ચ કરવા ન જ દે, પણ તોય હજાર રૂપિયા આપો. તો પતિએ પાંચસો જ આપ્યા! પેલી કહે તમે આવા કંજૂસતો નથી તો કેમ પાંચસો જ દીધા. મેં હજાર માંગ્યા’તા! ત્યારે પતિ બોલ્યો કે પાંચસો વપરાય જાય ત્યારે કાગળ લખજે એટલે હું પાંચસો રૂપિયા આપવાના બહાને આપણે રૂબરૂ મળાય જાય., આપણું મિલન થઇ જાય! બાપ, આવી રીતે ઇશ્વર આપણને યાદ કરેને આપણો ભેટો થઇ જાય!
કથારત્નો
(૧)
સરલ તરલ સમ દરિયો સાધુ
વિશ્વનાથને વરિયો સાધુ
વેશરૂપાળો ધરિયો સાધુ
અંબરથી અવતરિયો સાધુ
– પાર્થ હરિયાણી
(૨) શૃધ્ધ ભકિત વધે મારી પૂર્ણિમા જેવી સહુ સંતો આશિષ સદા દેજો એવી
(3) રામાયણ-ગીતા અમારી અંતર આંખો, હરિએ દીધી છે એમનું ઉડવાને પાંખો


