By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    4 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Editor
Last updated: 2026/05/11 at 3:58 PM
4 hours ago
Share
પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
SHARE

બેડલા ગામમાં અંધશંકાનો ખૂની ખેલ

પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

ગ્રામજનોની ચર્ચાએ ખોલ્યો ભેદ, એરપોર્ટ પોલીસે ખોદકામ કરી બહાર કાઢી લાશ; હત્યારા દંપતીની ધરપકડ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરની ભાગોળે આવેલા બેડલા ગામમાં બનેલી હત્યાની એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાવી છે. મિત્રતા, શંકા અને સંબંધોના ગૂંચવાડામાં એક યુવાનનો જીવ લેવાયો હોવાનો ભેદ સામે આવતા લોકો પણ સ્તબ્ધ બની ગયા છે. પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ એક શખ્સે પોતાના જ સાથે રહેતા મિત્રની ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતાની પત્નીની મદદથી લાશને કોથળામાં ભરી ગામના સ્મશાનમાં દાટી દીધી હતી. જોકે ગામમાં ચાલતી ચર્ચાઓ અને ગ્રામજનો પાસેથી મળેલી બાતમીના આધારે એરપોર્ટ પોલીસ આખરે આ અંધકારમય હત્યાકાંડનો ભેદ ઉકેલી શકી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે.પી. તરેટીયાને ગ્રામજનો મારફત એવી માહિતી મળી હતી કે બેડલા ગામમાં એક યુવાનની શંકાસ્પદ રીતે હત્યા કરવામાં આવી છે અને તેની લાશ ગુપ્ત રીતે દાટી દેવામાં આવી છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સક્રિય બની હતી. પોલીસ ટીમ ગામમાં આવેલા સ્મશાન સુધી પહોંચી હતી અને સમગ્ર મામલાની ગંભીરતાને જોતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
સ્મશાન વિસ્તારમાં તપાસ દરમિયાન પોલીસે તાજા ખોદકામના નિશાન જોયા હતા. શરૂઆતમાં ગામના વાલ્મિકી સમાજના આગેવાનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તાજેતરમાં તેમના સમાજમાં કોઈનું અવસાન થયું નથી અને કોઈ અંતિમવિધિ પણ કરવામાં આવી નથી. આ વાતથી પોલીસને વધુ શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્થળ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. લાઇટિંગની વ્યવસ્થા વચ્ચે હાથ ધરાયેલા ખોદકામ દરમિયાન જમીનની અંદરથી એક કોથળામાં ભરેલી યુવાનની લાશ મળી આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
મૃતકની ઓળખ મૂળ અમરેલી જિલ્લાના ઢસા તાલુકાના દેરડી ગામના સંજય હકાભાઈ વાઘેલા તરીકે થઈ હતી. ઉંમર આશરે 25 વર્ષના સંજયની હાલત જોઈ પ્રાથમિક તબક્કે જ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સ્પષ્ટ બની ગઈ હતી. ઘટનાસ્થળ પર જ ફોરેન્સિક નિષ્ણાત તબીબોની મદદથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક સંજય છેલ્લા લગભગ છ વર્ષથી બેડલા ગામે રહેતા જગદીશ કાળુ કબીરા સાથે રહેતો હતો. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી અને બંને માલઢોર ચરાવવાનું તેમજ ઢોલ વગાડવાનું કામ કરતા હતા. સંજય અપરિણીત હતો અને તેના માતા-પિતા પણ હયાત નહોતા. તે આરોપી જગદીશ અને તેની પત્ની હીના સાથે જ રહેતો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી જગદીશને લાંબા સમયથી શંકા હતી કે સંજય અને તેની પત્ની વચ્ચે આડા સંબંધ છે. આ બાબતે બંને મિત્રો વચ્ચે અનેકવાર ઝઘડા પણ થયા હતા. જોકે ગત તા. 6ના રોજ આ શંકાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તે દિવસે ફરી એકવાર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સે ભરાયેલા જગદીશે સંજય પર ધોકાથી હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સંજયનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ આરોપી ગભરાઈ ગયો હતો. ત્યારબાદ પોતાની પત્ની હીનાની મદદથી તેણે મૃતદેહને કોથળામાં બાંધી દીધો હતો. પોલીસ તપાસ મુજબ બંને પતિ-પત્નીએ રાત્રિના સમયે લાશને ગામના સ્મશાન સુધી લઈ જવાની યોજના બનાવી હતી. જગદીશ બાઈક પર કોથળો લઈ ગયો હતો જ્યારે તેની પત્ની પાછળ બેઠી હતી. સ્મશાનમાં પહોંચી બંનેએ મળીને ખાડો ખોદી લાશ દાટી દીધી હતી, જેથી કોઈને ઘટનાની જાણ ન થાય. પરંતુ ગામમાં અચાનક સંજય ગુમ થઈ જતાં અને કેટલીક શંકાસ્પદ હલચલને કારણે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. આખરે આ ચર્ચાઓ જ પોલીસ માટે મહત્વની કડી બની હતી. એરપોર્ટ પોલીસે શંકાના આધારે જગદીશને ઉઠાવી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં તે ગોળગોળ જવાબ આપતો રહ્યો હતો, પરંતુ કડક પૂછપરછ દરમિયાન આખરે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. સાથે જ પત્ની હીનાએ પણ લાશ છુપાવવામાં મદદ કરી હોવાનું સામે આવતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક સંજયના કોઈ નજીકના વાલીવારસ હાજર ન હોવાથી એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ. જાડેજાએ સરકાર તરફથી ફરિયાદી બની આરોપી દંપતી વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બંનેની સત્તાવાર ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ બેડલા ગામ સહિત રાજકોટમાં ભારે ચકચાર મચાવી છે. મિત્રતા અને વિશ્વાસના સંબંધ વચ્ચે ઉદ્ભવેલી શંકાએ આખરે એક યુવાનનો જીવ લઈ લીધો હતો. ગામના લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ પોલીસ માટે પણ ગ્રામજનોની સતર્કતા અને ચર્ચાઓ આ ગુનાનો ભેદ ઉકેલવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

You Might Also Like

જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ

મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા

રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો

 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વડાપ્રધાન રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં
રાજકોટ

 વડાપ્રધાન રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં

Editor By Editor 3 days ago
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરીની બેઠક શરૂ
ચોમાસા પહેલા જિલ્લાના જળાશયોની તપાસ અને રિપેરની કામગીરી પૂર્ણ કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?