- 4 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ
- અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- અમદાવાદમાં ઈંગ્લેન્ડની ટીમનું આગમન
4 નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, ત્યારે ઈંગ્લેન્ડ ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ પર ઈંગ્લેન્ડની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જે બાદ ટીમને હોટલમાં લઈ જવમાં આવી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ અમદાવાદમાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની મેચની જેમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો પણ પ્રચલિત છે, ત્યારે અમદાવાદમાં અ મેચને લઇને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન
વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમને ખરાબ શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 6 મેચ રમી છે. જેમાં શરૂઆતની 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લી 4 મેચમાં સતત જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રેથમ મેચમાં ભારત સામે અને બીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમે લય મેળવતા છેલ્લી 4 મેચમાં શાનદાર જીત મેળવી છે. હવે ઓસ્ટ્રેલિયા આગામી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.
વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન
વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ 6 મેચમાંથી માત્ર 1 મેચ જીત્યું છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી પણ બહાર થઈ છે. જો હવે ઈંગ્લેન્ડે પોતાની તમામ લીગ મેચ જીતશે, તો તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્વોલીફાઈ કરશે.