By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વિસ્ફોટ, ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી પરસોત્તમ પીપળીયાને મળી ધમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વિસ્ફોટ, ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી પરસોત્તમ પીપળીયાને મળી ધમકી

Editor
Last updated: 2026/06/01 at 4:43 PM
3 days ago
Share
બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વિસ્ફોટ, ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી પરસોત્તમ પીપળીયાને મળી ધમકી
SHARE

બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વિસ્ફોટ, ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધી પરસોત્તમ પીપળીયાને મળી ધમકી

પુરુષોત્તમ પીપળીયાનો હુંકાર, શારીરિક રીતે અશક્ત છું, પરંતુ અંધશ્રદ્ધા અને ધર્મના નામે થતા ધતિંગ સામેનો અવાજ બંધ નહીં થાય, ; દરબાર પૂર્વે શહેરમાં ચર્ચા અને પોલીસ તંત્ર એલર્ટ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂન દરમિયાન યોજાનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા જ શહેરનું રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ એક નવો વિવાદ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની કાર્યશૈલી અને તેમના દ્વારા યોજાતા દિવ્ય દરબાર અંગે ખુલ્લેઆમ સવાલો ઉઠાવનાર સામાજિક કાર્યકર પુરુષોત્તમ પીપળીયાને અજાણ્યા શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ પુરુષોત્તમ પીપળીયા લાંબા સમયથી ધર્મના નામે થતા ચમત્કારો, અંધશ્રદ્ધા અને વિવિધ બાબાઓના દાવાઓ સામે પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. બાગેશ્વર ધામના રાજકોટ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને પણ તેમણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પોતાના સવાલો જાહેર કર્યા હતા. આ દરમિયાન તેમને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ધમકી મળ્યા બાદ પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું શારીરિક રીતે અશક્ત હોઈ શકું છું, પરંતુ માનસિક રીતે સંપૂર્ણ સશક્ત છું. ધર્મના નામે જો કોઈ પ્રકારનું ધતિંગ, અંધશ્રદ્ધા અથવા લોકોની છેતરપિંડી થતી હશે તો તેનો વિરોધ કરવાનું હું બંધ કરીશ નહીં.”
તેમણે વધુમાં લખ્યું હતું કે ધમકીઓ આપીને કોઈ વ્યક્તિને ચૂપ કરાવી શકાય નહીં અને લોકશાહી દેશમાં દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી અને અનેક લોકોએ તેમના સમર્થનમાં પ્રતિસાદ પણ આપ્યા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને હવે રાજકોટમાં એક નવો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે પુરુષોત્તમ પીપળીયાને ધમકી આપનાર અજ્ઞાત શખ્સ કોણ છે? શું તે કોઈ વ્યક્તિગત સ્તરે અપાયેલી ધમકી છે કે પછી કોઈ સંગઠિત જૂથ સાથે તેનો સંબંધ છે? આ સવાલો હાલ શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.
બીજી તરફ, બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા હોવાથી પોલીસ અને પ્રશાસન પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થાઓને લઈને સજ્જ બન્યું છે. હવે ધમકીના આ વિવાદ બાદ સમગ્ર મામલે પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન, કાર્યક્રમને લઈને સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા અને ટિપ્પણીઓનો માહોલ પણ ગરમાયો છે. દિવ્ય દરબાર શરૂ થાય તે પહેલાં જ ઊભા થયેલા આ વિવાદે રાજકોટમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક સ્તરે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. હવે ધમકીના મામલે કોઈ સત્તાવાર ફરિયાદ થાય છે કે નહીં અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

 

વિજ્ઞાન જાથા દ્વારા દિવ્ય દરબારના વિરોધમાં સુત્રોચ્ચાર

રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં તા. ૫ થી ૭ જુન સુધી સનાતન હનુમંત કથાના બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો ભારત જન વિજ્ઞાન જાથા સખત શબ્દમાં વખોડી નિંદા કરી છે. રાજયમાં ત્રણ દિવસ ગામડે ગામડે દિવ્ય દરબારનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરવા અપીલ કરવામાં આવે છે. વિરોધ કાર્યક્રમનો અમલ કરી બાબા ધિરેન્દ્ર શાસ્ત્રી વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ મિટીંગમાં જણાવ્યું કે સનાતન હનુમંત કથાનો કદાપિ વિરોધ નથી. દિવ્ય દરબારમાં વગર મેડીકલ લાયસન્સે કેન્સર, અસાધ્ય રોગ, માનસિક બિમારીનો દાવો બેબુનિયાદ છે. પર્ચી કાઢવી, દિવ્ય શક્તિથી જાણી નામવાળા વ્યક્તિને બોલાવવા વિગેરે તૂત છે. માઈન્ડ રીડીંગ, પ્લાનીંગ, વિજ્ઞાન ટેકનોલોજીની મદદ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવે છે. પોતાના માણસોને ગોઠવી લોભ-પ્રલોભનના ભાગરૂપે કરવામાં આવે છે. નિર્દોષ, ભોળા શ્રદ્ધાળુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પર્ચી ધોખેબાજીથી સિવાય કશું જ નથી. ધિરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં આકસ્મિક હાદસા, હોનારત, વિમાન અકસ્માત, વગેરે એકપણ બાબતે દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો નથી કે સાવધાની રાખવાનું બોલ્યા નથી. આગોતરી જાણકારી આપી નથી તેનો મતલબ બાબા ઢોંગી છે. પોતાની પ્રસિદ્ધિ અને રાજકીય ઈશારે કાર્યક્રમો આપવા, તેનો પ્રચાર કરવો, હિન્દુ-મુસલમાનોની ખોટી ઉપજાવી વાતો કરી અંદરો–અંદર દહેશત, ભાગલા પાડવાનું કામ કરે છે. મોંઘવારી, બેરોજગારી, ગરીબાઈના પ્રશ્નો, રોજબરોજની સમસ્યાને આડે પાટે ચડાવી પોતાની સાથે રાજકીય પક્ષના હિત માટે કામ કરે છે તેનું જાથાને દુઃખ છે.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું
ગુજરાત

ગુજરાતમાં વધુ એક બ્રિજ જમીનદોસ્ત, મજબૂત ભાગ પરનું ગર્ડર જ તૂટી પડ્યું

Editor By Editor 3 days ago
સંતકબીર રોડ પર બસની અડફેટે આવતાં વીરનગરની યુવતીનું મોત, બાળક સહિત બે ઘાયલ
ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ઘંઉની ખરીદીમાં ગોકળગતિ
સોના-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં તેજી; વૈશ્વિક સંકેતોથી MCX બજારમાં વધી હલચલ
મોબાઈલ જોઈએ તો 1000 આપો…કહી માલિકોને જ ધમકાવતો ખાનદાની ચોર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?