By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ

Editor
Last updated: 2026/06/25 at 3:06 PM
22 minutes ago
Share
 જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
SHARE

 જનરલ બોર્ડ પૂર્વે કાજુ-કતરી સાથે કોંગ્રેસનો વિરોધ

 જંગલેશ્વર ડિમોલેશન વખતે અધિકારીઓએ માણેલી શાહી મીજબાનીનો આક્રોશ : બિલ પેન્ડીંગ રાખવા અને પૈસા ન ચૂકવવા માંગ : પોલીસ સાથે ઘર્ષણ

સમય મર્યાદા વગરના જનરલ બોર્ડમાં ભાજપના ૧૨ કોર્પોરેટરોએ પુછયા પ્રજાલક્ષી 33 પ્રશ્નો

 રોડ રસ્તાના મુદ્દે અધિકારીઓને આડે હાથ લેતા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં.૧૧માં ૨૫ એમએલડી પાઇપલાઇનનું કામ ઝડપથી પૂર્ણ કરવા કમિશનરનો આદેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મનપાનું આજે સમયમર્યાદા વગરનું ઐતિહાસિક જનરલ બોર્ડ મળ્યું હતું. જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર ડિમોલેશન વખતે તંત્રના અધિકારીઓ ૨૭ લાખનું ફૂડ આરોગી ગયા અંગે હંગામો મચાવ્યો હતો. કાજુ કતરીના પોસ્ટર લઇ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

મનપાની સામાન્ય સભાની શરૂઆતમાં જ ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલના સનસનીખેજ અને આકરા પ્રશ્નોએ ટીપી વિભાગના અધિકારીઓને રીતસર દોડતા કરી દીધા હતા. કેતન પટેલે મુખ્ય ટાઉન પ્લાનિંગ અધિકારીને મનપાના પ્લોટમાં થયેલા દબાણોને લઈને ઘેર્યા હતા. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, મનપાની માલિકીના કુલ કેટલા સરકારી પ્લોટ આવેલા છે, તમામ વોર્ડમાં કેટલા દબાણગ્રસ્ત પ્લોટ છે અને અત્યાર સુધીમાં દબાણ દૂર કરાયેલા પ્લોટોનું લિસ્ટ શું છે? આ ઉપરાંત કોર્પોરેશનના પ્લોટમાં વર્ષોથી દબાણ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં આવી નથી, તેવા આકરા સવાલો કર્યા હતા. આ સવાલોનો જવાબ આપવામાં ઇન્ચાર્જ ટીપીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને સ્ટેજ પર જ ગેંગેફેફે થઈ ગયા હતા. મેયર દ્વારા પ્લોટનું નામ જણાવવા કહેવામાં આવ્યું ત્યારે પણ ઇન્ચાર્જ ટીપીઓ ચોક્કસ વિગત આપી શક્યા ન હતા અને એક-બે દિવસમાં લેખિત અહેવાલ તૈયાર કરીને જવાબ આપવાનો બચાવ કર્યો હતો.

કોર્પોરેશનના પ્લોટોમાં ઝૂંપડાં તણાઈ ગયા હોવા છતાં તેની કોઈ વિગત અધિકારીઓ પાસે હાજર ન હતી. કેતન પટેલે રેસકોર્સ જેવા પ્રમુખ વિસ્તારમાં પણ આ પ્રકારનું ગેરકાયદે દબાણ હોવાનો દાવો કર્યો હતો, જોકે સિટી ઈજનેર અતુલ રાવલ દ્વારા રેસકોર્સમાં આવું કોઈ દબાણ હોવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં દખલ કરતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જો આપ અમારું ધ્યાન દોરશો તો તેવા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. મેયરે પણ આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ કરી ત્વરિત પગલાં લેવા માટે વહીવટી તંત્રને આદેશો આપ્યા હતા. આવાસ યોજનાના પ્રશ્ન સંદર્ભે સિટી ઈજનેર અને મેનેજર બંનેએ જવાબો આપ્યા હતા. જ્યારે કેતન પટેલે ખાણખનીજ વિભાગનું NOC લેવા અંગેનો પ્રશ્ન પૂછતા અધિકારીઓ પાસે તુરંત કોઈ જવાબ ન હોવાથી બાદમાં લેખિત જવાબ આપવાનું સ્વીકાર્યું હતું.

બીજીતરફ વોર્ડ નં-10ના મહિલા કોર્પોરેટર જ્યોત્સના ટીલાળાએ પણ શહેરી સુવિધા અને રોડ રસ્તાના મુદ્દે અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, શહેરમાં જ્યાં જ્યાં પણ ડીઆઇ પાઇપલાઇન નખાઇ ગઇ હોય અને કનેક્શન આપી દેવાયા હોય તેવા વિસ્તારોમાં ચોમાસા પહેલા પેચવર્ક કેમ કરવામાં આવ્યું નથી? કેટલા વિસ્તારોમાં પેચવર્ક પૂર્ણ થયું છે અને જ્યાં બાકી છે તે કયા કારણોસર અટક્યું છે? આ પ્રશ્નનો જવાબ સિટી ઈજનેર કુંતેશ મહેતા દ્વારા આપવામાં આવ્યો હતો. આ જ મુદ્દે ચર્ચા આગળ વધતા વોર્ડ 11ના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નખાઈ ગઈ હોવા છતાં સ્થાનિક લોકોને પાણી મળતું ન હોવાની અને રોડ પર મોટા ખાડા હોવાની રજૂઆત થઈ હતી. તેના બચાવમાં અધિકારીએ 25 MLD લાઈનનું કામ પ્રગતિમાં હોવાનું બહાનું કાઢ્યું હતું. જોકે, બાદમાં મનપા કમિશનરે આ બાબતે કડક વલણ અપનાવીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આ પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી નિકાલ કરવા માટે આદેશો જારી કર્યા હતા.

આ ઓપન જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ભારે હંગામો અને હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે, મેયર દ્વારા ગૃહ સમક્ષ એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ઓપન બોર્ડ હોવાથી કોઈ સમયમર્યાદા રાખવામાં આવી નથી અને દરેક સભ્યને પૂરતો સમય મળશે, ત્યારબાદ વિપક્ષના સભ્યો શાંત પડ્યા હતા. આ જનરલ બોર્ડમાં પ્રથમવાર એવું બન્યું હતું કે મેયરે પોતે સામેથી કોંગ્રેસના સભ્યોને પેટા પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ટીપી શાખાના પ્રશ્ન બાબતે કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિ સોલંકીએ જણાવ્યું હતું કે આ વિષય પર અમારો કોઈ પેટા પ્રશ્ન નથી. બોર્ડની કાર્યવાહી દરમિયાન એક તબક્કે પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને પ્રેસ ગેલેરીમાંથી હટાવીને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડી દેવામાં આવતા પત્રકારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને તેના વિરોધમાં મીડિયા પ્રતિનિધિઓએ બોર્ડની કાર્યવાહીનો બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યો હતો.

ભાજપના નગરસેવકો દ્વારા પૂછાયેલ પ્રશ્ન

ભાજપના 12 કોર્પોરેટરો દ્વારા પ્રજાલક્ષી કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કેતન પટેલના 2, સંજય ચાવડાના 3, જ્યોત્સનાબેન ટીલાળાના 3, ડો. રિંકલ મેઘાણીના 2, કિર્તિબા રાણાના 2, મહેશ પીપળીયાના 1, મોહિતસિંહ જાડેજાના 2, સોનલબેન સેલારાના 1, પંકજ લુણાગરીયાના 2, ધૈર્ય પારેખના 1, શૈલેશ વસાણીના 2, રાજુભાઈ અઘેરાના 3, દર્શન પેગ્યાતરના 3, જાનકીબેન કાટોડિયાના 3 અને રક્ષિત કલોલાના 3 પ્રશ્નોનો સમાવેશ થાય છે. એકંદરે, આ જનરલ બોર્ડમાં અધિકારીઓની નબળી તૈયારીઓ અને શાસક પક્ષના જ સભ્યોના આક્રમક વલણને કારણે વહીવટી તંત્ર પણ બરાબરનું ભીંસમાં મુકાયું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સુરત

શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Editor By Editor 26 minutes ago
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
રાજકોટ રેલવે ડિવિઝનમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં વીજ લાઇનો નાંખવાની કામગીરી બંધ કરો
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?