તાજીયા પડમાં આવ્યા, આજે અસુરા
કરબલાના શહીદોની યાદમાં માનવતા તહેવાર મહોરમમાં મુસ્લિમ સમાજ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કલાત્મક તાજિયાનું નિર્માણ થયું છે. જેમાં પોલીસે 200થી તાજીયાની મંજૂરી આપી હતી. મોહરમ માસમાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર ખુદાની બંદગી કરી હતી. ગઈકાલે રાત્રે તાજીયા પડમાં આવ્યા હતા જેમાં મુસ્લીમ બીરાદરો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા અને સેવાકીય પ્રવૃતિઓ કરાઈ હતી. આજે ઝુલુસ કાઢવામાં આવશે અને ત્યારબાદ તાજીયા ઠંડા પડશે. તાજીયાના તહેવાર અંતર્ગત પોલીસ દ્વારા શહેરમાં પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ 4 DCP, 9 ACP, 22 PI , 85 PSI ઉપરાંત 1900થી વધુ પોલીસ કોન્સ્ટેબલ્સ, GRD અને હોમગાર્ડના જવાનો સહિત 2000થી વધુ પોલીસ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તહેનાત કરવામાં આવ્યો હતો.


