રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયો અભિવાદન સમારોહ
પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ માનસિંગભાઈ પરમારનું ઉષ્માભર્યું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ અને રાજયસભા સાંસદ માનસિંગભાઈ પરમારનો રાજકોટ શહેર કમલમ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ તકે બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયા, મહામંત્રી મહેશભાઈ મૈત્રા, રાજેશભાઈ સવનીયા સહિત મોરચાના હોદ્દેદારો દ્વારા માનસિંગભાઈ પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ હતું.
અભિવાદન સમારોહમાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળાએ નવનિયુકત રાજયસભા સાંસદ તરીકે વરણી થતાં માનસિંગભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે માનસિંગભાઈ પરમારે રાજકોટ શહેરના હોદ્દેદારો સહિત તમામનો સ્વાગત કરવા આભાર વ્યકત કરેલ હતો.
આ અભિવાદન સમારોહમાં પ્રદેશ ભાજપ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મંત્રી જય શાહ, રાજકોટ શહેર મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડૉ. પ્રદિપ ડવ, બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, મહામંત્રી મહેશભાઈ મૈત્રા, રાજેશભાઈ સવનીયા, પૂર્વ શહેર ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર સહિત બક્ષીપંચના મોરચાના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને રાજયસભા સાંસદ માનસિંગભાઈ પરમારના સન્માન સમારોહનું સંચાલન અને આભારવિધિ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયા એ સંભાળ્યુ હતું.


