આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
મુખ્ય આવકવેરા કમિશ્નર સતીશ કુમાર ગોયલ એ ધ્વજ ફરકાવ્યો અને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં લોકોને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનના મહત્વથી વાકેફ રહેવા માટે પ્રેરીત કર્યા હતા અને આપણા વર્તમાન સમયમાં આપણે આપણી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખીને અને યોગ્ય રીતે કચરાનો 100% નિકાલ કરીને આપણા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ. આવકવેરા અધિકારી અને કર્મચારીઓના શિક્ષણ અને ઇત્તર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને આ પ્રસંગે ઇનામ આપવામાં આવ્યાં હતાં. ગાંધીધામના એક અધિકારીની પુત્રી આઈ.એ.એસ. બની હોવાથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અધિકારી અને કર્મચારીઓના નાના બાળકોને નાની ભેંટ આપવામાં આવી હતી અને દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


