By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ

Editor
Last updated: 2026/08/24 at 3:30 PM
8 minutes ago
Share
શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ
SHARE

શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ

5326 ફરિયાદ, 46413 સેમ્પલમાંથી 37 નમૂના ફેઈલ, 33 ફરિયાદો હજુ પેન્ડીંગ: દુષિત પાણી પીવાથી લોકોના આરોગ્ય પર નોટીસ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મનપા દ્વારા શહેરમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે. હાલમાં 18 વોર્ડના નાના-મોટા 94 વિસ્તારો એવા છે, જ્યાં રહેવાસીઓને અવારનવાર ગંદુ અને દૂષિત પાણી મળી રહ્યું છે.

મનપાના આંકડા મુજબ છેલ્લા 6 માસમાં બેક્ટેરિયોલોજીકલના 1483, રેસિડ્યુઅલ ક્લોરિનના 44752 અને કેમિકલ સેમ્પલ 187 મળીને કુલ 46413 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 37 સેમ્પલ ફેઈલ સાબિત થયા છે. શહેરમાં છેલ્લા 6 મહિના દરમિયાન દૂષિત પાણી, દુર્ગંધ અને ગટર મિશ્રિત પાણી આવવાની તીવ્ર સમસ્યાઓને લઈને કુલ 5326 ફરિયાદો નોંધાઈ છે. સરેરાશ ગણતરી કરીએ તો દર મહિને આશરે 880 કરતા વધુ અને રોજ 29 જેટલી ફરિયાદો મળી રહી છે.

તાજેતરમાં મળેલા જનરલ બોર્ડમાં આ મુદ્દે પ્રશ્ન પૂછાયો હતો. જેનો જવાબ જાહેર થયો છે. જેમાં અધિકારીએ જણાવ્યું હતું કે, 6 મહિનામાં 5293 ફરિયાદોનો નિકાલ કરાયો છે, જ્યારે 33 ફરિયાદો હજુ પણ પેન્ડિંગ છે. પાઈપલાઈનમાં લીકેજ, જૂની કે ક્ષતિગ્રસ્ત લાઈનો અને ડ્રેનેજ લાઈન નજીક હોવાના ટેકનિકલ કારણોસર આ પરિસ્થિતિ સર્જાય છે. જેના નિવારણ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર નિયમિત ધોરણે ફિલ્ટરેશન અને ક્લોરીનેશન કરવામાં આવે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 3 નવી જગ્યાઓએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત જે વોર્ડમાં જૂનું એસી પ્રેશર પાઈપ લાઈન નેટવર્ક છે, તેને તબક્કાવાર નવી ડીઆઈ પાઈપલાઈન નેટવર્કમાં અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે.

દૂષિત પાણી વિતરણ થવાના મુખ્ય કારણોમાં 1. પાણી વિતરણ માટે વર્ષો જૂનું એસી પ્રેશર નેટવર્ક હોવાથી તેના જોઈન્ટ પાસે ચાપડો લીક થવાના કારણે. 2. મોટા ભાગના હાઉસ કનેક્શન ગેલ્વેનાઈઝ પાઈપના હોય, આ પાઈપ સમય જતાં સડી જવાના કારણે. 3. ડ્રેનેજ નેટવર્ક તથા પાણી વિતરણ નેટવર્કની પાઈપલાઈન એકબીજાની બિલકુલ બાજુમાં હોવાના કારણે પરિસ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છ.

ઉલ્લેખનીય છે કે, દૂષિત પાણીનાં વિતરણને લઈ એક સપ્તાહમાં ઝાડા-ઉલટી સહિત પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેમાં ગત સપ્તાહે મનપાનાં આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં તાવ, શરદી અને ઉધરસના 1577 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ઝાડા-ઊલટી સહિત કુલ 1884 લોકો બીમાર પડ્યા છે. જ્યારે એક જ સપ્તાહમાં મેલેરિયાનો 1 અને કમળાનો 1 કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત અશુદ્ધ પાણીના વપરાશના કારણે ઝાડા-ઊલટીના 306 દર્દીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. જોકે હજુસુધી કોઈ જાનહાની થઈ નથી. ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.

 

દુષિત પાણીનું વિતરણ થતાં વિસ્તાર

  • વોર્ડ નં.2: સુભાષનગર, નહેરુનગર.
  • વોર્ડ નં.3: પરસાણાનગર, હંસરાજનગર, ગાયકવાડી, જંક્શન પ્લોટ.
  • વોર્ડ નં.4: સુભાષનગર સોસા., વેલનાથપરા, અભિરામ પાર્ક, પંચવટી પાર્ક, ગાંધી સ્મૃતિ સોસા., જય જવાન-જય કિસાન સોસા., પ્રજાપતિ, લાલપરી, નરસિંહનગર, શિવનગર, હુડકો ક્વાર્ટર, ભગીરથ સોસા.
  • વોર્ડ નં.5: આર્યનગર, પ્રજાપતિ, યુવરાજનગર, કનકનગર, શ્યામનગર, આંબા ભગતની શેરી, મયુરનગર, બાલકૃષ્ણ સોસા., ગીરનારી શેરી.
  • વોર્ડ નં.9: શિવપરા, ગાંધીનગર, પરમેશ્વર સોસા., અંજલી પાર્ક, રવિરાજપાર્ક, કૈલાસપાર્ક, મુંજકા ગામ, યોગીનગર, પારિજાત સોસા.
  • વોર્ડ નં.10: ઋતુવન, તિરુપતિનગર, મનુમંગલ, શ્યામલ વિહાર, શક્તિનગર, રવિપાર્ક.
  • વોર્ડ નં.11: આંબેડકરનગર, કસ્તૂરી રેસિડેન્સી, અંબિકા ટાઉનશીપ, મોટા મવા.
  • વોર્ડ નં.12: લક્ષ્મણ ગીતા, તિરુપતિ, કે.કે.પાર્ક, શનેશ્વર, બાલાજી પાર્ક, જડેશ્વર, માધવ, ગોકુલ રેસિડેન્સી.
  • વોર્ડ નં.13: આંબેડકરનગર, ખોડિયારનગર, રામનગર, અંબાજી કડવા પ્લોટ.
  • વોર્ડ નં.14: મીલપરા, ગાયત્રીનગર, ગીતાનગર, ધર્મજીવન, વાણીયાવાડી, કોઠારીયા કોલોની, કેવડાવાડી, સોરઠીયા પ્લોટ.
  • વોર્ડ નં.15: ખોડિયારપરા, ચુનારાવાડ, ગંજીવાડા, થોરાળા.
  • વોર્ડ નં.16: સાગર સોસા., મેહુલનગર, વિવેકાનંદનગર, મહેશ્વરી, પરસાણા, કીર્તિધામ, મહાત્મા ગાંધી, ગોકુલનગર, પટેલનગર.
  • વોર્ડ નં.17: નારાયણનગર, ધનશ્યામનગર, શ્રીનગર, ઈન્દિરાનગર, હુડકો વિસ્તાર, આશાપુરાપાર્ક, બાબરીયા કોલોની.
  • વોર્ડ નં.18: ભવનાથ પાર્ક, પારસ સોસા., રાધેશ્યામ સોસા., કોઠારીયા સોલવન્ટ, સ્વાતિપાર્ક, બાલાજી પાર્ક, ઈશ્વર પાર્ક, આસોપાલવ પાર્ક.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારીયા કોલોનીમાં વૃક્ષ છેદન અને વોંકળા પરના બાંધકામના વિરોધમાં ધરણાં
રાજકોટ

કોઠારીયા કોલોનીમાં વૃક્ષ છેદન અને વોંકળા પરના બાંધકામના વિરોધમાં ધરણાં

Editor By Editor 4 days ago
VYO શ્રીનાથ ધામ હવેલી ખાતે તા. ૨૫ થી ૩૦ પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજીની પધરામણી
જેતપુરમાં વોરા સમાજ દ્વારા ઉત્સાહભેર ઇદે મિલાદ પૂર્વેની ભવ્ય ઉજવણી
જાફરાબાદના વાંઢ ગામે સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો
વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?