By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    46 minutes ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    2 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    3 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    4 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન અને મતદારોનો મૂડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન અને મતદારોનો મૂડ

agragujaratnews
Last updated: 2023/11/08 at 8:13 AM
2 years ago
Share
મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન અને મતદારોનો મૂડ
SHARE

મિઝોરમમાં આજે ચૂંટણી પૂરી થઈ જશે, જ્યારે છત્તીસગઢમાં પ્રથમ તબક્કો પૂરો થશે પણ ચૂંટણીનો તખતો હજીય સજાવાઈ રહ્યો છે ત્યારે વન નેશન, વન ઇલેક્શનની વાતોને કેવી કહેવી?

 

વન નેશન અને વન ઇલેક્શનની વાતો થાય છે, પણ પાંચ રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જ એટલો લાંબો છે કે આખી વાત અર્થહિન લાગે. છત્તીસગઢમાં 90 બેઠકો જ છે, પણ હજીય જંગલ વિસ્તાર મોટો છે એટલે બે તબક્કા કરવા પડે છે. મિઝોરમમાં 40 બેઠકો છે અને અહીં પણ પહાડી વિસ્તાર અને ફોરેસ્ટ એરિયા છે, પણ એક જ તબક્કે ચૂંટણી થઈ જશે. ઈશાન ભારત પહાડીઓ વચ્ચે વસેલો પ્રદેશ છે અને અનેક આદિવાસી સમુદાયો વસે છે. પરંતુ આ આદિવાસી સમુદાયો સૌથી શિક્ષિતની યાદીમાં આવે તેવા છે. બિહાર અને ઝારખંડમાં આનાથી વધારે શિક્ષણનું ધોરણ કથળેલું જોવા મળશે. નિરક્ષરતા વ્યાખ્યાની દૃષ્ટિએ નથી રહી, પણ આ રાજ્યોમાં ગામડામાં નામ માત્રનું શિક્ષણ હોય છે. ઉચ્ચ શિક્ષણની વાત જ કરવા જેવી હોતી નથી.
છત્તીસગઢમાં પણ એ જ હાલત છે. છત્તીસગઢ મધ્ય પ્રદેશથી અલગ કરાયું, કેમ કે ત્યાં સૌથી મોટી વસતિ આદિવાસીઓની છે. બે રાજ્યો થયા પછી મધ્ય પ્રદેશ ઝડપથી આગળ વધ્યું છે. હિન્દીભાષી રાજ્યોમાં યુપી અને બિહાર કરતાં ઘણી સારી સ્થિતિમાં આવી ગયું છે. રાજસ્થાન પણ બાકીના હિન્દી બેલ્ટથી અલગ પડવા લાગ્યું છે. આ બધી એક પ્રકિયા હોય છે. પ્રગતિ એક પ્રોસેસ છે અને તેમાં રાજકીય પક્ષો દાવા કરે તેને ખોખલા જ સમજવા. કોઈ સરકાર પ્રગતિ કરતી નથી, સમાજ પ્રગતિ કરે છે. સરકાર તેમાં નડતી હોય છે. કોઈ સરકાર થોડી ઓછી નડે અને પ્રજા વધારે સજ્જ થાય ત્યારે પ્રગતિ થતી હોય છે. સરકારની ભૂમિકા મુખ્યત્વે પ્રગતિ રોકવાની હોય છે.


દાખલા તરીકે એક આડ વાત કરી લઈએ કે ગુજરાતમાં ગૌચરનું નખ્ખોદ સરકારે કાઢી નાખ્યું છે. ગૌચરની જમીન, નદીના કુદરતી પટ, હરિયાળી, વગડો અને થોડું જંગલ એ માનવજીવન માટે હિતકારક છે. ગૌચર બેપગાળા ખાઈ ગયા છે. સત્તામાં બેઠેલા લોકોના મળતિયા આખે આખા ગૌચર ગળી ગયા છે અને પેલી પ્રગતિની ભ્રામક વાતો માટે ચારે બાજુથી માટી અને રેતી ખોદવા માટે માફિયાગીરી ચાલી રહી છે. ખનન માફિયા એવો હિન્દી શબ્દ ઘૂસી ગયો છે, કેમ કે સમગ્ર કામકાજમાં સત્તાધીશોનો ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. ગામેગામ ધારાસભ્યો અને સાંસદોના મળતીયા ગેરકાયદે રીતે માટી ખોદી રહ્યા છે. કોઈ આડે આવે તેના પર સીધા જેસીબી ફેરવી દેવાય છે. આડે આવનારાને પતાવી દેવા સુધી સડો પેઠો છે, ત્યારે પ્રગતિની વાતો કેવી રીતે કરવાની ભઈ…


બીજા રાજ્યોમાં પણ સરકારો આ જ કામ કરી રહી છે અને એટલે તેમાંથી ઓછી નડનારી સરકાર કઈ તે મતદારો આ વખતે નક્કી કરશે. છત્તીસગઢમાં નક્સલવાદ નાબૂદ થઈ શક્યો નથી અને સલામતી માટે બે તબક્કા કરવા પડે છે. આડ વાતમાં મૂળી વાત હવે જોડી દઈએ કે વન નેશન, વન ઇલેક્શનનો અર્થ એ નથી કે એક જ દિવસે મતદાન થશે. તબક્કાવાર જ મતદાન થશે અને ઘણા તબક્કા કરવા પડે. પણ સમગ્ર રીતે એક સાથે ચૂંટણી યોજાય અને એક સાથે ચૂંટણી પ્રચાર થાય તેનો ફાયદો છે. પણ તેમાં વાતો વધારે થઈ છે અને નક્કર કંઈ થયું નથી એટલે જોઈએ હવે ક્યારે એ શક્ય બને છે.
બે રાજ્યોમાં મિઝોરમ નાનું રાજ્ય છે, પણ તેનું રાજકારણ કોઈ પણ મોટા રાજ્ય જેટલું કોમ્પ્લેક્સ છે. પ્રથમ વાર એવું બન્યું કે રાષ્ટ્રીય પક્ષનો સાથે પક્ષ રાજ્યમાં સરકાર ધરાવતો હોય, પણ તે રાષ્ટ્રીય પક્ષના વડા, દેશના વડા પ્રધાન સાથે મંચ પર આવવાની ના પાડી દીધી હોય. મિઝોરમના મુખ્ય પ્રધાને કહ્યું કે પોતે વડા પ્રધાન મોદી સાથે એક મંચ પર નહીં આવે. એટલે સભા જ રદ કરવી પડી. આટલી મોટી હદે નાના રાજ્યનું રાજકારણ ડહોળાયેલું છે, કેમ કે મણિપુરમાંથી મોટી સંખ્યામાં કુકી આદિવાસીઓ શરણ લેવા માટે મિઝોરમ પહોંચ્યા છે. બીજું એક પ્રાદેશિક પક્ષ પણ કૂદ્યો છે. ઝોરામ પિપલ્સ મૂવમેન્ટ. આ પક્ષને ભાજપે ઊભો કર્યાનો મનાય છે અને તેણે જાહેરમાં એનડીએ વિરુદ્ધનો અભિગમ લીધો છે. સ્ટ્રેટેજી એ છે કે એનડીએનો પોતે વિરોધ કરે છે એવું દેખાડીને મિઝો નેશનલ ફ્રન્ટથી નારાજ થયેલા મતદારોને આકર્ષી શકાય. એનડીએનો વિરોધ એટલે કે ભાજપનો વિરોધ હોય તે લોકો કોંગ્રેસને મત ના આપે અને ઝોરામ પિપલ્સ મૂવમેન્ટને મત આપી દે માટેની આ ચાલ છે. પછી ભેગા મળીને સરકાર બનાવવાની, કેમ કે કોંગ્રેસ સારું જોર કરી રહી છે, પણ એકલે હાથે સરકાર બનાવવી મુશ્કેલ લાગે છે.

જોવાનું એ રહેશે કે પછી કોંગ્રેસના ટેકા વિના સરકાર ના બનવાની હોય ત્યારે પછી કોંગ્રેસ કેવી રીતે ગઠબંધન કરશે. આવા કોઈ ગઠબંધનની જરૂર છત્તીસગઢમાં નથી, કેમ કે અહીં સ્પષ્ટપણે કોંગ્રેસની સરકાર ફરી બની રહી છે. બેઠકો ઓછી થશે, પણ સત્તામાં કોંગ્રેસ અને મુખ્ય પ્રધાન બઘેલ ટકી રહેશે એમ લાગે છે. મહાદેવ બૂક એપ્સના નામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, પણ તે બૂઠી ધાર જેવા છે. આદિવાસી વિસ્તારોમાં આમ પણ ભ્રષ્ટાચાર આરોપોની કોઈ અસર હોતી નથી. અહીં તો રાતોરાત ઈડીએ કાર્યવાહી કરી નાખી, એક કોઈ મામુલી માણસનું સ્ટિંગ ઓપરેશન કરાવી નખાયું અને તેણે કરેલા આરોપેને ચગાવી દેવાયા – આ બધા ખેલ લોકો સમજી ગયા છે. લોકો સમજી ગયા છે કે ચૂંટણી હોય ત્યારે બદનામી કરવા માટે જ આક્ષેપો ઠોકી બેસાડવાના અને પછી તે કેસમાં કંઈ દમ રહેતો નથી. મતદાન સાથે હિંસાના બનાવો પણ બન્યા ખરા. છત્તીસગઢમાં પહેલા તબક્કે 20 બેઠકો છે, તેમાંથી 12 બેઠકો માઓવાદી વિસ્તારમાં પડે છે. સુકમા જિલ્લામાં માઓવાદીઓએ વિસ્ફોટો કર્યા પણ ખરા અને તેમાં સીઆરપીએફના એક જવાનને ઈજાઓ થઈ છે. આ 12 બેઠકો માટે 60,000થી વધારે જવાનોને ગોઠવવા પડ્યા છે. આ બેઠકો આમ કોંગ્રેસના હાથમાં છે, કેમ કે ગયા વખતે આ 20માંથી 17 બેઠકો કોંગ્રેસને મળી હતી. ભાજપને બે અને અન્યને એક. કોંગ્રેસને અહીં જીત મળે છે તેનું કારણ સહાનુભૂતિ પણ છે, કેમ કે નક્સલીઓના હુમલામાં એક સાથે કોંગ્રેસના ડઝનબંધ નેતાઓના મોત 2013માં થયા હતા.
મિઝોરમમાં કોંગ્રેસને હરાવીને મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં આવ્યું. 2018માં ભાજપ સાથે તેનું ગઠબંધન થયું હતું. 40માંથી 26 બેઠકો તેને મળી ગઈ હતી. તે વખતે કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી, જે આ વખતે બમણી થાય તેવી શક્યતા છે. જીતવા માટે ચાર ગણી કરવી પડે. આ વખતે મતોમાં ભાગ પડાવવા ઝોરામ પિપલ્સ મૂવમેન્ટ ઊભું થયું છે એટલે ગણતરીમાં ફેરફાર થઈ શકે છે, જેની ખબર ત્રીજી ડિસેમ્બરે પરિણામના દિવસે પડશે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
આંતરરાષ્ટ્રીય

Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ
South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?
WTCમાં ઓસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ઘાયલ, ફાઇનલમાંથી થશે બહાર?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?