- નિજ્જરની હત્યા મુદ્દે ટ્રુડોએ ભારત પર સાધ્યું નિશાન
- “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થતા ગંભીર પરિણામો આવશે”
- ભારત ઈચ્છે છે કે કેનેડા નિજ્જર હત્યા કેસમાં તપાસ કરે: બ્લિંકન
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ફરી એકવાર ફરી ઝેર ઓક્યું છે. ટ્રુડોએ કહ્યું કે, કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદા સાથે ઊભો રહ્યો છે કારણ કે જો મોટા દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. આ સમગ્ર વિશ્વને વધુ ખતરનાક બનાવશે.
નિજ્જરની હત્યા મુદ્દે ટ્રુડોએ ભારત પર સાધ્યું નિશાન
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા હંમેશા કાયદાના શાસનને સમર્થન આપશે. કેનેડાના પીએમએ ભારત સાથે ચાલી રહેલા વિવાદ અને ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસના સંબંધમાં આ વાત કહી. વાસ્તવમાં, ટ્રુડોને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનના નિવેદન પર સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં બ્લિંકને કહ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે કેનેડા નિજ્જર હત્યા કેસની તપાસમાં આગળ વધે અને ભારત ઈચ્છે છે કે કેનેડા આમાં સહયોગ કરે.
ટ્રુડોએ ભારત વિશે શું કહ્યું?
આ અંગે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, ‘શરૂઆતથી જ નિજ્જર હત્યા કેસમાં અમને ભારત સરકાર વિરુદ્ધ વિશ્વસનીય પુરાવા મળ્યા છે અને અમારી આશંકા છે કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. અમે ભારત સાથે વાત કરી હતી અને તપાસમાં સહયોગની અપીલ કરી હતી. અમે અમારા સહયોગી દેશો અમેરિકા અને અન્ય લોકો સાથે પણ આ અંગે વાત કરી અને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનની ગંભીરતા સમજાવી. આ એવી વસ્તુ છે જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે અમારા ભાગીદારો અને તપાસ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. કેનેડા એક એવો દેશ છે જે હંમેશા કાયદા સાથે ઊભો રહ્યો છે કારણ કે જો મોટા દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. આ સમગ્ર વિશ્વને વધુ ખતરનાક બનાવશે.
‘ભારત સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશ’
ટ્રુડોએ કહ્યું, ‘અમે સ્પષ્ટ છીએ કે અમે ભારત સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. શરૂઆતથી જ અમે અમારી ચિંતાઓ ભારત સાથે શેર કરી હતી. આ કારણે જ જ્યારે ભારતે વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનમાં અમારા 40 થી વધુ રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા સમાપ્ત કરી ત્યારે અમે ખૂબ જ નિરાશ થયા હતા. આ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય છે, જ્યારે કોઈપણ દેશ અચાનક તેના રાજદ્વારીઓની પ્રતિરક્ષા સમાપ્ત કરી દે છે, તો પછી અન્ય દેશો રાજદ્વારીઓ માટે સુરક્ષિત રહેશે નહીં. આ આંતરરાષ્ટ્રીય સંબંધો માટે પણ ખતરનાક છે. જો કે, અમે ભારત સાથે સકારાત્મક રીતે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ તેમ કરવાનું ચાલુ રાખીશું. આ એવી લડાઈ નથી જે હવે લડવાની છે પરંતુ અમે હંમેશા કાયદાના શાસન માટે ઉભા રહીશું.


