- વિરાટને ટીમની બહાર કાઢવો મુશ્કેલ
- જૂન 2024ની ટી20 વર્લ્ડ કપમાં વિરાટને લઈને ખતરો
- બીસીસીઆઈ નંબર 3 પર ઈશાન કિશનને ચાન્સ આપવા આતુર
વિરાટ કોહલી એક એવું નામ છે જે વર્લ્ડ કપ 2023માં છવાયેલું છે. વિરાટ કોહલીએ 3 શતકના દમ પર 765 રન લીધા અને પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા. હાલમાં વર્લ્ડ કપ 2023ને ખતમ થવામાં 2 અઠવાડિયાની વાર છે અને સાથે એ સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાથી બહાર થઈ શકે છે અને આવનારા જૂનમાં થનારી ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને લઈને ખતરો જોવા મળી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટના અનુસાર દિલ્હીમાં બીસીસીઆઈ અધિકારીઓ અને પસંદગીકર્તાની બેઠક થઈ જેમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે ટીમ ઈન્ડિયાના સિવાય ટી20 વર્લ્ડ કપ 2023ની રણીનીતિને લઈને પણ ચર્ચા થઈ છે. હવે એ સમાચાર પણ આવી રહ્યા છે કે બીસીસીઆઈ નંબર 3 પર ઈશાન કિશનને ચાન્સ આપી શકે છે.
રિપોર્ટના અનુસાર રોહિત શર્મા T20 વર્લ્ડ કપની કેપ્ટનશિપ કરશે અને તેના સિવાય શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પર ઓપનિંગ માટે સટ્ટો રમાશે. ત્રીજા નંબર પર ઈશાન કિશનને તક આપવાની વાતો ચાલી રહી છે. હવે સવાલ એ છે કે વિરાટ કોહલી પર આટલા સવાલો શા માટે થઈ રહ્યા છે? વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. T20 વર્લ્ડ કપમાં પણ તેનો બેજોડ રેકોર્ડ છે, તો તેની સામે આવી વાતો શા માટે કહેવામાં આવી રહી છે? આવો અમે તમને વિરાટની એવી ખામીઓ વિશે જણાવીએ જે તેના માટે કોઈને કોઈ રીતે ખતરો બની ગઈ છે.
વિરાટની સૌથી મોટી ખામી શું છે?
વિરાટ કોહલી દરેક ફોર્મેટમાં રન બનાવે છે પરંતુ T20માં તેની સૌથી મોટી ખામી તેનો સ્ટ્રાઈક રેટ છે. હા, આ એક એવો મુદ્દો છે જેને વિરાટના ટીકાકારો માટે વારંવાર ચર્ચાનો વિષય બને છે. વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં 107 ઈનિંગ્સમાં 4008 રન બનાવ્યા છે. તેની એવરેજ 52.73 છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 137.96 છે. આ સ્ટ્રાઈક રેટ ઓછો નથી પરંતુ ટી-20ના વર્તમાન સ્તર પ્રમાણે તેને નીચો માનવામાં આવે છે. બીજી તરફ શુભમન ગિલ 146ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. યશસ્વી જયસ્વાલનો સ્ટ્રાઈક રેટ 170 છે. તે સ્પષ્ટ છે કે આ યુવા ખેલાડીઓ વિરાટ કરતા વધુ ઝડપે રન બનાવે છે. પરંતુ જે ઈશાન કિશનને નંબર 3 પર તક આપવાની વાત થઈ રહી છે તેનો સ્ટ્રાઈક રેટ 125થી ઓછો છે.
વિરાટને હટાવવો આસાન નથી
જો કે, વિરાટની હકાલપટ્ટી અંગે ગમે તેટલા અહેવાલો બહાર આવે, પરંતુ આવું થવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે વિરાટ કોહલી છેલ્લા બે વર્ષમાં ખૂબ જ ઝડપથી રન બનાવી રહ્યો છે. ગત IPLમાં વિરાટે 140ની આસપાસના સ્ટ્રાઈક રેટથી 639 રન બનાવ્યા હતા. તેની એવરેજ પણ 53થી વધુ હતી. ગયા વર્ષે, વિરાટે 20 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 55 થી વધુની સરેરાશથી 781 રન બનાવ્યા હતા. આ વખતે ફરી તેનો સ્ટ્રાઈક રેટ 140ની આસપાસ રહ્યો. પરંતુ મોટી વાત એ છે કે T20 ક્રિકેટમાં એકલા સ્ટ્રાઈક રેટથી કામ નથી ચાલતું, સતત રન બનાવવા પડે છે, જેમાં વિરાટથી આગળ કોઈ નથી.
T20 વર્લ્ડ કપમાં વિરાટ નંબર 1
હવે ટી20 વર્લ્ડ કપમાં વિરાટના રેકોર્ડની વાત કરીએ તો તે આ મામલે નંબર 1 છે. વિરાટે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ 1141 રન બનાવ્યા છે જેમાં તેની એવરેજ 81.5 છે. તેના બેટમાંથી 14 અડધી સદી આવી છે. આ આંકડાઓ પોતાનામાં જ સાબિત કરે છે કે T20 વર્લ્ડ કપના દબાણને વિરાટથી વધુ સારી રીતે કોઈ હેન્ડલ કરી શકશે નહીં. આ પછી પણ જો લોકોને વિરાટ વિશે શંકા છે, તો તેઓ IPL 2024 માં પણ તેને દૂર કરી શકે છે જે T20 વર્લ્ડ કપ પહેલા આયોજિત થવાનું છે. જો વિરાટ કોહલી IPL 2024માં તોફાની બેટિંગ કરે છે અને રન બનાવે છે તો પછી તેને T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર રાખવાની તસ્દી કોણ લેશે?


