ચશ્મા ગમે તે નંબરના હોય જડમૂળથી કાઢી નાખશે, સેવન કરો કેળા, આંબળા
મોટી ઉમરના લોકોને આપણે ચશ્માં પહેરતા જોયા હશે પણ હાલના સમયમાં તો નાની-નાની ઉમરના બાળકોને ચશ્માં નંબર આવી જતા હોઈ છે. આંખોની દ્રષ્ટિ ઓછી થવા પાછળનું કારણ ભોજનમાં વિટામીન ‘A’ ની ઉણપ છે. જેને કારણે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.
બીજું કારણ કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું કે ટીવી જોવું.
ત્રીજું કારણ આંખોની પુરતી કાળજી ના રાખવી.
આ થોડા કારણો છે. જે આંખોની દ્રષ્ટિને ઓછી કરે છે જેથી આપણે સ્પષ્ટ પણે જોઈ શકતા નથી અને તમને ચશ્માં પહેરવા માટે મજબુર કરે છે,
થોડા બીજા કારણ પણ છે. જેવા કે આધુનિક સમયમાં વારસાગત.આંખોને ધૂળ કે ઇન્ફેકશનથી બચાવવા, તણાવ, પોષણની ખામી, કામનું દબાણ, વધુ અભ્યાસ જેવા કારણોથી લોકોને ચશ્માંના નંબર વધતા જઈ રહ્યા છે. અહિયાં થોડી એવી રીતો દર્શાવવામાં આવી રહી છે, જે તમારી આંખોની દ્રષ્ટિ વધારી શકે છે. ઘરેલું ઉપચાર દ્વારા આંખોની દ્રષ્ટિ કેવી રીતે વધારી શકાય છે આવો જાણીએ.
પ્રથમ પ્રયોગ: સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે.
બીજો પ્રયોગ : 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.
ત્રીજો પ્રયોગ : એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે.
3. કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે.
4. લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.
5. લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.
6. આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.
7. એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.
8. જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.
9. આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.
11. ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.
12. વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ, કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.
13. એક લીટર પાણીને તાંબાના જગમાં રાત આખી માટે મૂકી દો અને સવારે ઉઠીને આ પાણીને પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખો માટે ઘણું ફાયદો પહોચાડે છે.
14. આંખોમાં ચશ્માં દુર કરવા માટે પોતાની આંખોની આસપાસ અખરોટના તેલનું માલીશ કરો. તેનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે અને આંખોના ચશ્માં ઉતરી જાય છે. તે ઘણું સરળ પરંતુ સચોટ ઉપાય છે.
15. આધુનિક લાઈફસ્ટાઈલમાં અનિન્દ્રાની સમસ્યા ખુબ સામાન્ય છે. જો તમે પુરતી ઊંઘ નહી લો, તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડશે. જેથી આંખો નીચે કાળા ઘેર તો થશે જ, સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં ૭-૯ કલાકની ઊંઘ ઘણી જરૂરી છે.
16. થોડી સેકન્ડ માટે ઘડીયાળની દિશામાં તમારી આંખો ગોળ ફેરવો. અને પછી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર પાચ વખત પુનરાવર્તિત કરો.
17. જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.