- મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગ કોલેજમાં ટ્રેનિંગ અપાશે
- એક જ દિવસમાં 10 લાખથી વધુ લોકોને CPR ટ્રેનિંગ
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કાર્યક્રમની કરાવી શરૂઆત
દેશભરમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશભરની 1165 હોસ્પિટલોમાં CPR ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે. દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની શરૂઆત કરાવી છે.
એક તરફ કોરોના પછી દેશભરમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે આરોગ્ય મંત્રાલય દ્વારા લોકોને હાર્ટ એટેક દરમિયાન તાત્કાલિક CPR ટ્રેનિગ મળી રહે તે માટે નવીન શરૂઆત કરવામાં આવી છે. આ માટે દેશભરની 1165 હોસ્પિટલોમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
જેના માટે દેશની તમામ મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગ કોલેજમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમજ એક જ દિવસમાં 10 લાખથી વધુ લોકોને CPR ટ્રેનિંગ આપવામાં આવશે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, CPR તાલીમ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે. જેના કારણેસામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવીને લોકોના જીવ બચાવી શકાય છે. આ માટે તાલીમ કાર્યક્રમમાં 20 લાખ સામાન્ય લોકોએ નોંધણી કરાવી છે.
નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકનું દેશભરમાં સંખ્યા વધી છે. જેમાં CPR આપવાથી કેટલાંક કિસ્સાઓમાં લોકોના જીવ બચાવી શકાય છે. આ વચ્ચે CPR ના કારણે લોકો પોતાના પરિવારની તેમજ અન્ય લોકોના પણ જીવ બચાવી શકે છે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેશભરમાં કાર્યક્રમ શરૂ કર્યો છે.
શું હોય છે CPR
સામાન્ય રીતે અચાનક કાર્ડિયાક અરેસ્ટ અથવા હાર્ટ એટેકના કિસ્સામાં, અમારા પરિવારમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યારે આપણે હુમલો કરીએ છીએ ત્યારે આ આપણે સૌ પ્રથમ કરીએ છીએ. પરંતુ, જ્યારે દર્દી ત્યાં જાય છે ત્યારે તેની સાથે શું કરવામાં આવે છે જેનાથી તેનો શ્વાસ પાછો આવવાની શક્યતા વધી જાય છે. તે એક વસ્તુ છે CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. જો તમારી સાથે ક્યારેય આવું થાય, તો તમે પ્રાથમિક સારવાર તરીકે CPR આપી શકો છો.


