- 7 ઓક્ટોબરથી ચાલી રહ્યું છે યુદ્ધ
- હમાસે બંધક બનાવેલા 3 નાગરિકોને સમજ્યો ખતરો
- IDF એ લીધી હુમલાની જવાબદારી
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ દળોએ મોટી ભૂલ કરી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેમના જ ત્રણ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય નાગરિકોના મોત થયા હતા. ડેનિયલ હગારીએ કહ્યું કે IDF આ દુ:ખદ ઘટનાની જવાબદારી લે છે. તેમણે કહ્યું, ‘આ ઘટના એ જ વિસ્તારમાં બની હતી જ્યાં ઇઝરાયલી સૈનિકોએ આત્મઘાતી બોમ્બર સહિત અનેક આતંકવાદીઓનો સામનો કર્યો હતો.’ ત્રણ ઈઝરાયલી બંધકોમાંથી 2ની ઓળખ યોતમ હૈમ અને સમર તલાલ્કા તરીકે થઈ છે. હૈમને કફર અજાથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાલકાને નિરમથી અપહરણ કરવામાં આવ્યો હતો. હગારીએ તેના પરિવારની વિનંતી પર ત્રીજા બંધકનું નામ જાહેર કર્યું ન હતું.
ગોળીબાર બાદ જવાનોને ત્રણેયની ઓળખ શંકાસ્પદ મળી હતી
હમાસની કેદમાંથી ત્રણ બંધકો કેવી રીતે છટકી ગયા તે અંગે પૂછવામાં આવતા, હગારીએ કહ્યું કે સૈન્ય માને છે કે “ત્રણેય ભાગી છૂટવામાં સફળ થયા અથવા આતંકવાદીઓ દ્વારા મુક્ત કરવામાં આવ્યા”. આઈડીએફના પ્રવક્તાએ કહ્યું કે સૈનિકોએ ત્રણેયને ગોળીબારમાં માર્યા પછી મૃતકોની ઓળખ અંગે તાત્કાલિક શંકાઓ ઊભી થઈ. તેમના મૃતદેહોને તપાસ માટે તાત્કાલિક ઇઝરાયેલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઓળખ હમાસ દ્વારા બંધક બનાવાયેલા ઇઝરાયેલી નાગરિકો તરીકે કરવામાં આવી હતી.
દુઃખદ અને પીડાદાયક ઘટના
ડેનિયલ હગારીએ કહ્યું, ‘આ આપણા બધા માટે દુઃખદ અને પીડાદાયક ઘટના છે અને જે બન્યું તેના માટે IDF જવાબદાર છે.’ તેમણે કહ્યું કે IDF આપણા સૈનિકો દ્વારા કરવામાં આવેલી આ ગંભીર ભૂલના કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હગારીએ વધુમાં કહ્યું કે IDFએ તરત જ ઘટનાની તપાસ શરૂ કરી. આ એક દુ:ખદ ઘટના છે, જે એક એવા યુદ્ધ ક્ષેત્રમાં બની છે જ્યાં સૈનિકોએ તાજેતરના ભૂતકાળમાં અને આજે પણ ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો છે અને સખત લડત આપી છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે દુઃખ વ્યક્ત કર્યું છે
આઈડીએફના પ્રવક્તાએ કહ્યું કે, એવી ઘણી ઘટનાઓ પણ બની છે જેમાં અમારા સૈનિકોને હમાસના આત્મઘાતી હુમલાખોરોનો સામનો કરવો પડ્યો છે. એવા હુમલા પણ થયા હતા જેમાં આતંકવાદીઓએ અમારી સેનાને લલચાવવા અને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દુ:ખદ ઘટના પછી તરત જ આતંકીઓ સાથે બીજી અથડામણ થઈ. હગારીએ કહ્યું કે IDF આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરે છે અને મૃતકોના પરિવારજનોના દુઃખમાં જોડાય છે. અમે ત્રણેય મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.


