- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
- “80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે”
- “22 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા”
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ રામ ભક્તોને આપી ભેટ
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા જવા માટે હવે અમદાવાદથી રોજ એક ટ્રેન ઉપડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે. કલોલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે હું આપને આમંત્રણ આપવા આવ્યો છું. તમે 2 મહિના સુધી વારાફરતી અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરનાં દર્શન કરવા માટે આવજો. 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે.
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રતિષ્ઠાને લઇ તૈયારી તેજ
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 ફેબ્રુઆરીએ થવાનું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ ક્ષણને ઉત્સવ તરીકે ઉજવી રહ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી હજારો સંતોને અયોધ્યામાં એ અદ્ભુત ક્ષણના સાક્ષી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે PM મોદીના હસ્તે રામ લલ્લાના અભિષેકની વિધિ પૂર્ણ થશે. રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના તીર્થ ક્ષેત્રપુરમમાં એક ટીન સિટી એટલે કે બાગ બિજૈસીની સ્થાપના કરી છે, જેને ટેન્ટ સિટી નામ આપવામાં આવ્યું છે.
ઋષિ-મુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું
22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરના અભિષેક સમારોહ દરમિયાન, દેશને ગૌરવ અપાવનાર તમામ અગ્રણી લોકોની સાથે તમામ પરંપરાના ઋષિ-મુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટે શંકરાચાર્ય, મહામંડલેશ્વર, શીખ અને બૌદ્ધ સંપ્રદાયના તમામ ટોચના સંતોને બોલાવ્યા છે. સ્વામિનારાયણ, આર્ટ ઓફ લિવિંગ, ગાયત્રી પરિવાર, ખેડૂતો, કલા જગતના અગ્રણી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 1992 અને 1984 વચ્ચે સક્રિય પત્રકારોને પણ બોલાવવામાં આવ્યા છે. રામ મંદિર માટે લડનારા કાર સેવકોના પરિવારોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.


