- હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે
- આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે
- ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી
દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ ચાલુ છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તીવ્ર ઠંડીના કારણે નોઈડા સહિત સમગ્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં 29-30 ડિસેમ્બર માટે રજા જાહેર કરવામાં આવી હતી. ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી.
યુપી, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ખૂબ ગાઢ ધુમ્મસ છવાયું
ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગુરુવારે દિવસભર ધુમ્મસ છવાયું હતું. ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ગુરુવારે પણ અનેક માર્ગ અકસ્માતો થયા હતા. ગાઢ ધુમ્મસને કારણે ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલી લગભગ 60 ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી હતી. 134 ફ્લાઈટ અને 22 ટ્રેનો મોડી પડી હતી. IMD અનુસાર, ગુરુવારે યુપી, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ખૂબ ગાઢ ધુમ્મસ છવાયું હતું. પટિયાલા, અંબાલા, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, પાલમ, બરેલી, લખનૌ, વારાણસી અને ગ્વાલિયરમાં વિઝિબિલિટી 30 મીટરથી ઓછી હતી.
પર્વતોમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી સવારે અને રાત્રિ દરમિયાન દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ માટે અત્યંત ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરી છે. IMDએ ગાઢ ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતી વખતે ફોગ લાઇટનો ઉપયોગ કરવાનું કહ્યું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 30 અને 31 ડિસેમ્બરે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. એટલું જ નહીં યુપી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી હળવો વરસાદ થઈ શકે છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીના કારણે જિલ્લા વહીવટીતંત્રે 12મી સુધીની તમામ શાળાઓમાં 29 અને 30 ડિસેમ્બરે રજા જાહેર કરી છે.
સીએમ યોગીએ પ્રવાસ રદ કર્યો
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઓછી વિઝિબિલિટીના કારણે ગુરુવારે તેમનો અયોધ્યા પ્રવાસ રદ કરવો પડ્યો હતો. સીએમ યોગી 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાત પહેલા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાના હતા. PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં નવા એરપોર્ટ અને નવી રેલવે બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. ગણતંત્ર દિવસ પરેડનું રિહર્સલ ગાઢ ધુમ્મસમાં ચાલુ છે


