- મહારાષ્ટ્રથી લાકડાંનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રકે પલટી મારી
- બે મહિલા, એક પુરુષ, એક બાળકનાં મોત, એક મહિલા ગંભીર હાલતમાં
- ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વણઝાર થંભવાનું નામ લેતું નથી
ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વણઝાર થંભવાનું નામ લેતું નથી .ગુરુવારે સાંજે 4 વાગ્યે સાપુતારાથી અમદાવાદ જતી એક પ્રવાસી કાર પર મહારાષ્ટ્રથી લાકડા નો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક પલ્ટી જતા 2 મહિલા ,1 પુરુષ અને એક બાળક મળી કુલ 4 વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નિપજયાં હતાં ,જ્યારે એક મહિલા ને ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા સામગાહન સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યા મુજબ મૃતકોમાં પાલેજ,ગાંધીનગરના રહેવાસીઓ અમિતકુમાર પારસભાઈ રાજપૂત, પ્રિયંકા અમિતકુમાર રાજપૂત(ઉ.વ.28.), અનાયા અમિતકુમાર રાજપૂત(ઉ.વ.આશરે 2 વર્ષ), રમનબેનતાલુરવર ઠાકુર(ઉ.વ.80) (મુળ રહ.ઉદયભાનુપુર.તા.બાદલાપુરજિ.
જોનપુર,ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. જયારે મીરાબેન રામઆત્રય ઠાકુર((ઉ.વ.45, રહે.ગોરવા આઈટીઆઈ બરોડા)ને ગંભીર ઈજા થઈ છે. જયારે ટ્રકના ડ્રાઈવર દલપતભાઈ નારણભાઈ ખુમાણ(ઉ.વ.59 રહે.દેવડા વકરવાસ,ગોંડલ,રાજકોટ) અને ક્લિનરજયદીપભાઈ ધીરુભાઈ કોટડિયા(ઉ.વ.35દેવડા,ગોંડલ)ને નજીવી ઈજા થઈ છે.
ગુરુવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં સાપુતારાથી એક કિ.મી. ના અંતરે અમદાવાદ ગાંધીનગરની બ્લેક ક્રેટા ન GJ18 BM 0701 ને પુણેથી અમદાવાદ લાકડા નો જથ્થો ભરી જતી ટ્રક ન Gj 14 X 0786 ના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક આગળ ચાલતી ક્રેટા કાર પર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આજુબાજુના લોકો સહિત ક્રેઇન પણ આવી ચડતા અકસ્માતમાં ફ્સાયેલા પ્રવાસીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે તોતિંગ ટ્રક નીચે ચગદાયેલાયેલા પ્રવાસીઓને બહાર કાઢે તે પહેલાં ચાર જેટલા પ્રવાસીઓ નું મોત નિપજતા એરેરાટી ફેલાઈ હતી.


