- યમનના હુતી વિદ્રોહીઓ ફરી એકવાર કર્યો હુમલો
- બ્રિટિશ જહાજ હુમલાનો શિકાર બન્યું
- મદદ માટે 22 ભારતીય અને એક બાંગ્લાદેશી ક્રૂ મેમ્બર સહિત એક ટીમ તૈનાત કરી
લાંબા સમયથી લાલ સમુદ્રમાં ગંભીર સ્થિતિ છે. યમનના હુતી વિદ્રોહીઓ તરફથી ફરી એકવાર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. બ્રિટિશ જહાજ હુમલાનો શિકાર બન્યું છે. મદદની અપીલ મળતા જ ભારતીય નૌકાદળે તરત જ ગાઈડેડ મિસાઈલથી સજ્જ આઈએનએસ વિશાખાપટ્ટનમ મોકલ્યું હતું. નેવીએ શનિવારે જણાવ્યું હતું કે INS વિશાખાપટ્ટનમે બ્રિટિશ ઓઇલ ટેન્કર MV મર્લિન લુઆન્ડામાં બોર્ડ પર લાગેલી ભીષણ આગને ઓલવવાના પ્રયાસોમાં મદદ કરવા માટે 22 ભારતીય અને એક બાંગ્લાદેશી ક્રૂ મેમ્બર સહિત એક ટીમ તૈનાત કરી છે.
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, મુખ્ય શિપિંગ માર્ગ એડનની ખાડીમાં ઈરાન સમર્થિત સંગઠન સાથે જોડાયેલા યમનના હુથી બળવાખોરો દ્વારા મિસાઈલ હુમલા બાદ એક બ્રિટિશ ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી. હુથી બળવાખોરો દ્વારા દરિયાઈ જહાજ પર હુમલાની આ તાજેતરની ઘટના છે. આ દરમિયાન જહાજના કેપ્ટને મિસાઇલનો ભોગ બન્યા બાદ જહાજમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં ભારતીય નૌકાદળના સહકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ભારતીય નૌકાદળ તેની વિશેષ ટીમ સાથે અમારી મદદ કરવા આગળ આવી હતી.’
https://x.com/indiannavy/status/1751200999275200953
આગ ઓલવવા ટીમ મોકલી: નેવી
નૌકાદળના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘એમવી માર્લિન લુઆંડાની વિનંતી પર INS વિશાખાપટ્ટનમે મુશ્કેલીગ્રસ્ત જહાજ પર આગ લડવાના પ્રયાસોને વધારવામાં ક્રૂને મદદ કરવા માટે અગ્નિશામક ઉપકરણો પ્રદાન કર્યા છે’. તેની સાથે તેની NBCD ટીમ તૈનાત કરી છે. .
ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ MVs (વેપારી જહાજો)ની સલામતી અને દરિયામાં જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે અડગ અને પ્રતિબદ્ધ છે.’ અહેવાલો અનુસાર, બ્રિટિશ ઓઇલ ટેન્કરના ઓપરેટરે જણાવ્યું હતું કે જહાજ ‘લાલ સમુદ્રને પાર કર્યા પછી એડનની ખાડીમાં મિસાઇલ હુમલાનો ભોગ બન્યું હતું.’
ભારતે દરિયામાં દેખરેખ વધારી
વેપારી જહાજો પરના હુમલામાં હાલનાં વધારાને ધ્યાનમાં રાખીને, ભારતીય નૌકાદળે અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં ફ્રન્ટલાઈન વિનાશક અને ફ્રિગેટ્સ તૈનાત કરીને તેના સર્વેલન્સ નેટવર્કને નોંધપાત્ર રીતે વધાર્યું છે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય નૌકાદળે 17 જાન્યુઆરીની રાત્રે એડનના અખાતમાં એમવી જેન્કો પિકાર્ડી પર ડ્રોન હુમલા બાદ મદદ માટેના કોલનો જવાબ આપ્યો હતો. એ જ રીતે, 5 જાન્યુઆરીએ ઉત્તર અરબી સમુદ્રમાં લાઇબેરિયન-ધ્વજવાળા જહાજ એમવી લીલા નોર્ફોકને હાઇજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને તેના તમામ ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો.
અગાઉ 23 ડિસેમ્બરે 21 ભારતીય ક્રૂ સભ્યો સાથે લાઇબેરિયન જહાજ એમવી કેમ પ્લુટોને ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. એમવી કેમ પ્લુટો ઉપરાંત, અન્ય એક કોમર્શિયલ ઓઈલ ટેન્કર જે ભારત તરફ જઈ રહ્યું હતું તે જ દિવસે દક્ષિણ લાલ સમુદ્રમાં શંકાસ્પદ ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતું. આ જહાજમાં 25 ભારતીયોનો ક્રૂ સવાર હતો.


