- વચગાળાના બજેટમાં કૃષિ કિસાન કલ્યાણ મંત્રાલય માટે 1.27 લાખ કરોડની ફાળવણી
- ખેડૂતોને દેશ અને દુનિયા માટે અન્ન પેદા કરવામાં મદદ કરવા માટે સહાયતા
- નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું
નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટના કેન્દ્રમાં યુવાન, મહિલાઓ અને ખેડૂતો રહ્યા હતા. અન્ય ક્ષેત્રોની જેમ જ કૃષિ સેક્ટર માટે પણ બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલાં રજૂ થયેલા વચગાળાના બજેટમાં સરકારે ગ્રામીણ વિકાસ પર ભાર આપ્યો છે. નાણાપ્રધાને પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ખેડૂતો આપણા અન્નદાતા છે. પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દર વર્ષે સીમાંત એ નાના ખેડૂતો સહિત દેશના 11.8 કરોડ ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય સહાયતા પ્રદાન કરવામાં આવે છે. પીએમ પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો અપાયો છે. અનેક અન્ય કાર્યક્રમો ઉપરાંત આ ઉપાયોની મદદથી અન્નદાતાને દેશ અને સમગ્ર દુનિયા માટે અનાજ પેદા કરવામાં મદદ કરવા માટે સહાયતા અપાઈ રહી છે. ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટે 1,361 માર્કેટ્સને ઇન્ટિગ્રેટેડ કરી નાખી છે અને તેમાં ત્રણ લાખ કરોડના મૂલ્યનો વેપાર થઈ રહ્યો છે અને 1.8 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર સમાવેશી, સંતુલિત, ઉચ્ચતર સંવૃદ્ધિ અને ઉત્પાદકતા તરફ આગળ વધી રહ્યું છે. તેમને કૃષક કેન્દ્રિત નીતિઓ લાવીને ખેડૂતોને તેમની આવકમાં સહાયતા આપીને કિંમત અને વીમાના માધ્યમથી રિસ્ક કવરેજ આપી, સ્ટાર્ટ-અપના માધ્યમથી ટેક્નોલોજી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપીને સુગમ કરાયા છે.
કૃષિ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત
- સરકાર પાકની કાપણી બાદની ગતિવિધિઓમાં ખાનગી અને જાહેર રોકાણને પ્રોત્સાહન આપશે.
- તમામ કૃષિ-જળવાયુ ક્ષેત્રોમાં નેનો-ડીએપીના ઉપયોગનો વિસ્તાર કરવામાં આવશે.
- તેલીબિયાંના ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર તિલહન અભિયાન શરૂ કરાશે.
- ડેરી વિકાસ માટે વ્યાપક કાર્યક્રમ તૈયાર કરાશે.
- જળ આધારિત કૃષિ ઉત્પાદકતા વધારવા, નિકાસને બમણી કરવા અને વધારે રોજગાર સર્જનની તકો પેદા કરવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના અમલીકરણને આગળ વધારવામાં આવશે.
- પાંચ ઇન્ટિગ્રેટેડ એક્કા પાર્ક સ્થાપિત કરાશે.
ગત બજેટમાં ખેડૂતોને શું મળ્યું હતું?
વર્ષ 2023-24 માટેના બજેટમાં કૃષિ સેક્ટર માટે ઘણી જાહેરાતો કરી હતી. સરકારે 2023-24 માટે ખેડૂતોને 20 લાખ કરોડ સુધીનું ઋણ આપવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત જાડા અનાજને પ્રોત્સાહન આપવા માટે શ્રી અન્ન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ લોક અધોસંરચનાના નિર્માણની જાહેરાત થઈ હતી. ખેડૂતો માટે એગ્રિકલ્ચર એક્સિલેટર ફંડ બનાવવાની પણ જાહેરાત થઈ હતી જેથી કરીને સેક્ટરમાં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપી શકાય. સાથે જ મત્સ્ય પાલન તેમજ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાની વાત કહેવાઈ.


