- પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જય શ્રી રામનો જયઘોષ કરતા આશ્ચર્ય
- રોજીંદા બનતા અકસ્માતો નું પ્રમાણ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી
- વર્ષ દરમ્યાન જીલ્લામાં થતા માર્ગ અકસ્માત માં આશરે ત્રણસો જેટલા લોકો મોતને ભેટી રહ્યા છે
સાયલા માર્કેટિંગ યાર્ડ પરિસર માં પોલીસ,આર.ટી.ઓ ના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા ડૉ.ગીરીશ પંડયા દ્વારા ઉપસ્થિત વાહન માલીકો,ચાલકો ને માર્ગ સલામતી ના નિયમોનું સ્વયં પાલન કરી રોજીંદા બનતા અકસ્માતો નું પ્રમાણ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી.સાયલા પંથકમાં ધમધમતા કવૉરી ઉદ્યોગ માં આશરે ત્રણ હજાર જેટલા ડમ્પરો ટ્રકો માલનું પરીવહન કરી રહ્યા છે ત્યારે આ વાહનોના ચાલકો ના આરોગ્યની તપાસણી વર્ષમાં કમ સે કમ બે વખત તથા વાહનના બ્રેક,ક્લચ,લીવર સહીતની તપાસણી કરાવવા માટે જીલ્લા આર.ટી.ઓ અધિકારી પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કવોરી ઉદ્યોગ,માઇન્સ એસોસિયેશન,ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના હોદ્દેદારો,સભ્યો તેમજ વાહન ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જીલ્લા પોલીસ વડા ડૉ.પંડયા એ આપેલા વકતવ્ય માં જણાવેલ કે વર્ષ દરમ્યાન જીલ્લામાં થતા માર્ગ અકસ્માત માં આશરે ત્રણસો જેટલા લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આપણે સહુ વાહન સલામતીના નિયમો નું યોગ્ય પાલન કરીશું તો અકસ્માતોમાં થતા મોતનું પ્રમાણ ઘટાડવામાં ચોક્કસ સફ્ળ રહીશું કારણ કે કાયદાકીય રીતે વાહન વ્યવહાર ના નિયમ ભંગ ના દંડ આપવાથી પરિસ્થિતિ માં એવો સુધારો નહીં આવે જેટલો લોક જાગૃતિ થી આવશે.આ તકે સુરેન્દ્રનગર આર.ટી.ઓ વિભાગ, જીલ્લા ટ્રાફીક પોલીસ ની ટીમ, સુરેન્દ્રનગર જીલ્લા બ્લેકટ્રેપ કવૉરી અને માઇન્સ એસોસિયેશન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જય શ્રી રામનો જયઘોષ કરતા આશ્ચર્ય માર્ગ સલામતી માસ નિમિતેના કાર્યક્રમમાં ઉપસ્થિત પુર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા હાલ સૌરાષ્ટ્ર બ્લેકટ્રેપ કવૉરી એસોસિયેશન ના પ્રમુખ રૈયાભાઇ રાઠોડ દ્વારા પોતાના વકતવ્યની પૂર્ણાહુતિ માં જય શ્રી રામ નો નારો લગાવતા રાજકીય અટકળો તેજ થવા સાથે આશ્ચર્ય સર્જાયું હતું.


