- પરમહંસ આચાર્ય રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડશે
- કોંગ્રેસની છેલ્લી વિકેટ હું પાડીશ: પરમહંસ આચાર્ય
- હવે સમય આવી ગયો છે દેશ કોંગ્રેસ મુક્ત થાય: આચાર્ય
તપસ્વી છાવની પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યએ રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરીને કહ્યું કે તે સોનિયા ગાંધી સામે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે.
તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો. અમે સંતો અને ઋષિઓ કોંગ્રેસથી ખૂબ દુખી છીએ. 7 નવેમ્બર 1966ના રોજ કોંગ્રેસ સત્તામાં હતી. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધી હતા. તે સમયે ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીના નેતૃત્વમાં દેશના ખૂણે ખૂણેથી યુવાનો, ખેડૂતો, માતાઓ, બહેનો અને વડીલો ગૌહત્યા રોકવા દિલ્હી સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. એટલા માટે હું કોંગ્રેસ મુક્ત ભારત માટે ચૂંટણી લડી રહ્યો છું. કોંગ્રેસની છેલ્લી વિકેટ હું પોતે પાડીશ. હવે સમય આવી ગયો છે કે ભારત કોંગ્રેસ મુક્ત થઈ જાય.


