- અમદાવાદીઓને મળશે વધુ એક અંડરપાસ
- ટ્રાફિકની ઝંઝટમાથી રાહત
- એસજી હાઈવે તરફ જવુ બન્યુ સરળ
અમદાવાદ શહેર જેમ દિવસેને દિવસે ચારે બાજુથી વિકસતુ જાય છે,શહેરી વિસ્તાર વધતા ટ્રાફિકની સમસ્યા પણ વધવાની જ છે અને શહેરીજનોને તે સમસ્યાથી ટેવાઈ પણ જવાનુ છે. તો બીજી તરફ એક નવો અંડરપાસ બનીને મકરબા વિસ્તારમા તૈયાર થઈ ગયો છે.જેમા મકરબાથી એસજી હાઈવે તરફ જતા વાહન ચાલકોને ટ્રાફિકમાથી મળશે રાહત,આ અંડરપાસ એસજી હાઇવેથી મકરબાના રોડ ને જોડાઈ રહયો છે.અંદાજિત 3 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો છે અંડરપાસ,જેનુ ટૂંક જ સમયમા થશે લોકાર્પણ.
મકરબામા અંડરપાસ
શહેરમા જેમ ટ્રાફિક સમસ્યા વધતી જાય છે, તેમ તંત્ર દ્રારા નવા બ્રિજ તેમજ અંડરપાસ બનાવવામા આવતા હોય છે,જેના કારણે શહેરીજનોને ટ્રાફિકમાથી રાહત મળે,તો બીજી તરફ આવો જ એક અંડરપાસ બની ને તૈયાર થઈ ગયો છે મકરબા વિસ્તારમા.આ અંડરપાસ બનવાના કારણે મકરબાથી એસજી હાઈવે તરફ જતા વાહનચાલકો સરળતાથી એસજી હાઈવે,સરખેજ અને સાણંદ તરફ જઈ શકશે.
અંડરપાસની ખાસિયત
આ અંડરપાસની 134 મીટર લંબાઈ અને 11.57 મીટર પહોળાઈ હશે,જે મા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો સરળતાથી આવન-જાવન કરી શકશે,તો મહત્વની વાત એ છે કે,જીવરાજપાર્ક,વેજલપુર,વસ્ત્રાપુર ફાટક તરફથી જે પણ વાહનચાલકો આવતા હશે તે સીધા મકરબા અંડર પાસ થઈ એસ જી હાઈવે નિકળશે.
એસજી હાઈવે જવુ બન્યુ સરળ
જીવરાજપાર્ક,વેજલપુર,સેટેલાઈટ,વસ્ત્રાપુર ફાટક,શ્રેયસ ક્રોસિંગ તરફથી આવતા વાહનચાલકોને ટ્રાફિકમાથી રાહત મળશે,કેમકે આ રોડ સીધો મકરબા અંડરપાસ તરફ જઈ રહયો છે,અને અંડરપાસમાથી બહાર નિકળી સીધો એસજી હાઈવે ને મળી રહયો છે સાથે પ્રહલાદનગર તરફ આવવુ હશે તો,અંડરપાસ થઈ તમે કોર્પોરેટ રોડથી પ્રહલાદનગર તરફ પણ આવી શકશો,


