- જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને ખાનગી કંપનીએ આ સેટેલાઈટ વિક્સિત કર્યો છે
- જાપાને ફરી સાયન્સ ક્ષેત્રે નવતર ઈતિહાસ રચવાની તૈયારીમાં
- અવકાશમાં લાકડી અને અન્ય બાબતોનું સેટેલાઈટ સંશોધન કરશે
પોતાની ટેક્નિકો માટે જાણાતા જાપાને ફરી એક નવતર કારનામું કરી બતાવ્યું છે. જાપાને દુનિયાનો પ્રથમ લાકડાનો બનેલો સેટેલાઈટ તૈયાર કર્યો છે. આ સેટેલાઈટને ગરમીની સિઝનમાં લોંચ કરવાની જાપાને તૈયારી કરી છે. આને લિગ્રોસેટ નામ આપ્યું છે. લિગ્રોસેટ એક વિશિષ લાકડી મેગનોલિયાની મદદથી બનાવ્યો છે. આ લાકડીને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રયોગ કર્યો છે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આમાં તિરાડ નથી પડતી. અને અવકાશમાં સ્થિર રહી શકે છે. હવે અવકાશ એજન્સી નાસાએ આ સેટેલાઈટ લોંચ કરવામાં જાપાનની મદદ કરશે.
લિગ્રોસેટ ક્યા ડેવલપ કરાયો
જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને લોંગિગ કંપની સુમિતોમો વાનિકીના વૈજ્ઞાનિકોએ લિગ્રોસેટ વિકસિત કર્યો છે. આ સેટેલાઈટથી એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અવકાશમાં બાયોડિગ્રેડેબલ એટલે કે સરળતાથી નાશ થતી ચીજોનો વપરાશ કઈ રીતે કરી શકાય. આ પ્રયોગથી એવું જાણવા મળશે કે અકાશમાં લાકડી અથવા આ પ્રકારના બીજા બાયોડિગ્રેડેબલ ચીજો કારગર સાબિત થાય છે કે નહિ
અવકાશમાં નોન બાયોડિગ્રેડેબલ કાટમાળ વધી રહ્યો છે
જેમ જેમ વિજ્ઞાન ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. અવકાશમાં નોન બાયોડિગ્રેડેબલ કાટમાળ વધી રહ્યો છે. આમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના તૂટેલા હિસ્સા, સેટેલાઈટમાં ઉપયોગમાં લેવાયેલ ચીજવસ્તુઓ, રોકેટમાં વપરાતા મેટલ્સ અને અન્ય કાટમાળ તરતો રહે છે. આનાથી અવકાશના ઈકો સિસ્ટમને ખૂબ નુકસાન થાય છે. આ વાતને ધ્યાનમાં રાખી ક્યોટો યુનિવર્સિટીએ સંશોધનમાં આ નવી શોધ પર કામ કર્યું છે.
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી
ઉલ્લેખનીય છે કે જાપાની એસ્ટ્રોનોટ અને ક્યોટો યુનિવર્સિટીના એન્જિનિયરે તાજેતરમાં અવકાશ મિશનમાં વપરાશ થતી ચીજવસ્તુઓને લઈને ચેતવણી આપી હતી. તેમને જણાવ્યું હતું કે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરતા તમામ સેટેલાઈટ સજ્જ થઈ જાય છે અને આના નાના એલ્યુમિનિયમના કણ નીકળે છે તે ધરતીના વાયુમંડળમાં અનેક વર્ષો સુધી તરતા રહે છે. આની અસર ધરતીની પર્યાવરણ પર પડે છે.
શા માટે જાપાનનો લિગ્રોસેટ મિશન મહત્ત્વનું છે
લાકડીમાંથી બનેલો સેટેલાઈટને અવકાશમાં મોકલવાનું આ જાપાનનું મિશન પર્યાવરણ માટે ખૂબ અગત્યનું છે. આ બાયોડિગ્રેડેબલ ચીજથી બનાવ્યો છે. આનાથી પર્યાવરણને કોઈ નુકસાન નહિ થાય. એવું કહેવાય છે કે નોન બાયોડિગ્રેડેબલ ચીજ આગામી બે હજાર વર્ષમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. આવામાં આ ચીજોને સમાપ્ત થયા બાદ પણ અવકાશ ક્ષેત્રના રિસર્ચમાં યથાવત્ રાખવાની આશા છે.
સેટેલાઈટમાં એલ્યુમિનિયમ વપરાશનું શું નુકસાન
તાજેતરમાં બ્રિટિશન કોલંબિયા યુનિવર્સિટી, કેનેડાના સંશોધકોએ સેટેલાઈટમાં એલ્યુમિનિયમના વપરાશને લઈ ચેતવણી આપી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે સેટેલાઈટમાં વપરાતું એલ્યુમિનિયમ ધરતીના ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડે છે. ઓઝોન લેયર ધરતી પર સૂરજના પારજાંબલી કિરણોને ધરતી પર આવવાથી રોકે છે. જો આને લઈ નુકસાન થાય તો ધરતીના વાયુમંડળ પર આની અસર ખૂબ પડે છે.


