સાંસદ રાજેશ ચુડાસમાએ કરેલ રજુઆતને મળી સફળતા
સોરઠમાં પર્યટનનું હબ ગણાતા જુનાગઢ શહેરના રેલ્વે સ્ટેશનમાં યાત્રી સુવિધા વધારવા અંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રૂબરૂ તથા લેખીત પત્ર પાઠવીને રેલ મંત્રી સમક્ષ માંગ કરી હતી. જેને સ્વીકારી રેલ્વે સ્ટેશનમાં આધુનિક સુવિધા વધારવા 232 કરોડ જેવી માતબર રકમ મંજુર કરી છે. જેથી આગામી દિવસોમાં જુનાગઢ રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ થશે તેવું જાણવા મળી રહ્યુ છે. આમ સાંસદની સ્ટેશનને અપડે ગ્રેશનની રજુઆતને સફળતા મળી હોય જેને આગેવાનોએ આવકારી છે.
જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લાના યુવા સંસદ રાજેશભાઈ ચુડાસમા દ્રારા જુનાગઢ શહેરના રેલ્વે સ્ટેશનમાં હાલ પુરતી સુીવધા ન હોવાથી રેલ્વે સ્ટેશન અધતન બનાવવા માટે અપડેગ્રેશન કરાવવા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા દર્શનાબેન જરદોસને રજુઆત કરી હતી. દિલ્હી ખાતે રૂબરૂ મળેલ ત્યારે ભારપૂર્વક મૌખિક રજુઆત કરી હતી. જેને લઈ બન્ને મંત્રીઓ દ્રારા આ બાબતે ખાસ અંગત રસ લઈ જુનાગઢ રેલ્વે સ્ટેશનને અપગ્રેડેશન માટે રૂ.232 કરોડ મંજુર કરેલ છે. જેથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્રારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા દર્શનાબેન જરદોસના નિર્ણયને આવકારી વધાવેલ છે. આ નિર્ણય પ્રજાને વધુ સારી સુવિધા મળે તે માટે મોદી સરકાર કટિબદ્ધ હોવાની મોદીની ગેરંટીને સાર્થક સમાન છે.