- થાઈલેન્ડમાં છેલ્લા દિવસે બે લાખથી વધુ લોકોએ ભાગ લીધો
- થાઈલેન્ડની 90 ટકા વસ્તી બૌદ્ધ છે
- ભારતથી લાવવામાં આવેલા બૌદ્ધ પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલી આપી
થાઈલેન્ડના બેંગકોકમાં પવિત્ર પ્રદર્શનના અંતિમ દિવસે હજારો યાત્રાળુઓએ ભગવાન બુદ્ધ અને તેમના બે શિષ્યોના પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલી આપી હતી. છેલ્લા દિવસે બે લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગયા શનિવારે 1.5 લાખથી વધુ લોકોએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. નોંધનીય છે કે થાઈલેન્ડની 90 ટકા વસ્તી બૌદ્ધ છે.
બૌદ્ધ પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલી – જયશંકર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા કહ્યું કે થાઈલેન્ડના ભક્તોએ ભારતથી લાવવામાં આવેલા બૌદ્ધ પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલી આપી. આપણો સહિયારો વારસો અને સંસ્કૃતિ એક એવો સેતુ છે જે એક ખાસ બંધન બનાવે છે.
થાઈલેન્ડના લોકોને હિન્દી શીખવી ગમે છે – નાગેશ સિંહ
ભારત-થાઈલેન્ડ સંબંધો પર ભારતીય રાજદૂતે કહ્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધો વધી રહ્યા છે. સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ ઘણો સારો છે. થાઈલેન્ડમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. ત્યાંના લોકો હિન્દી શીખવાનું પસંદ કરે છે. ભગવાન બુદ્ધ અને તેમના નજીકના શિષ્યોના પવિત્ર અવશેષોની ભારતથી થાઇલેન્ડની યાત્રા 22 ફેબ્રુઆરી-2024ના રોજ શરૂ થઈ હતી.


