- થાઇલેન્ડના 4 શહેરોમાં ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના અવશેષોનું પ્રદર્શન
- 10 લાખથી વધુ ભક્તોએ કર્યા પવિત્ર પવિત્ર અવશેષોના દર્શન અને સન્માન
- ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને થાઈલેન્ડના પ્રધાનમંત્રીનો માન્યો આભાર
થાઇલેન્ડના ઉબોન રત્ચાથાનીમાં મંગળવારે હજારો ભક્તોએ ભગવાન બુદ્ધ અને તેમના બે શિષ્યોના પવિત્ર અવશેષોને સન્માન આપીને દર્શન કર્યા હતા. પ્રદર્શનના છેલ્લા દિવસે પવિત્ર અવશેષોની મુલાકાત લેવા માટે ભક્તો ઉબોન રત્ચાથાનીમાં વાટ મહા વાનરામ પહોંચ્યા હતા.
થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “આજે, બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉબોન રત્ચાથાનીમાં વાટ મહા વાનરામ ખાતે ભારતના પવિત્ર અવશેષોના દર્શન માટે પહોંચ્યા.” જણાવી દઈએ કે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યોના પવિત્ર અવશેષોની ક્રાબીની યાત્રા પહેલા આવતીકાલે ઉબોન રત્ચાથનીમાં પ્રદર્શનનો છેલ્લો દિવસ છે.
ભારતીય દૂતાવાસે પોસ્ટમાં આગળ લખ્યું, ‘ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અરહંત સરિપુત્તા અને અરહંત મહા મોગ્ગલાનાના પવિત્ર અવશેષો ઉત્તરપૂર્વીય થાઈલેન્ડના શહેર ઉબોન રત્ચાથાની પહોંચ્યા. આ અવશેષોને 10 થી 13 માર્ચ સુધી વટ મહા વનરામમાં રાખવામાં આવશે. અગાઉ, પવિત્ર અવશેષો ચિયાંગ માઇ શહેરમાં હતા, જ્યાં હજારો ભક્તો દર્શન માટે એકઠા થયા હતા.
ભારતીય દૂતાવાસે થાઈલેન્ડના સમર્થનની કરી પ્રશંસા
તો, ભારતીય દૂતાવાસે ચાલી રહેલ પ્રદર્શન દરમિયાન થાઈલેન્ડના પ્રધાનમંત્રી શ્રેથા થાવિસિન અને તેમની સરકારના નિરંતર સમર્થનની પ્રશંસા કરતાં કહ્યું કે આને કારણે બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.
જણાવી દઈએ કે, આ પહેલા પવિત્ર અવશેષોના દર્શન માંટે 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ બેંગકોકમાં એકઠા થયા હતા, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ગાઢ આધ્યાત્મિક સંબંધોની પ્રશંસા કરી હતી.
થાઈલેન્ડના 4 શહેરોમાં 25 દિવસીય પ્રદર્શનમાં મૂકવામાં આવેલા અવશેષોને બેંગકોકમાં તેમના રોકાણ દરમિયાન સનમ લુઆંગ રોયલ પેલેસ મેદાન પર ખાસ બનાવવામાં આવેલા મંડપમાં જાહેર પૂજા માટે મૂકવામાં આવ્યા હતા.
ક્રાબી મોકલવામાં આવશે અવશેષો
બેંગકોક, ચિયાંગ માઈ, ઉબોન રત્ચાથાની શહેરોમાં પ્રદર્શન બાદ અવશેષોને ક્રાબી મોકલવામાં આવશે. ત્યારબાદ, પવિત્ર અવશેષોનું પ્રદર્શન 14-18 માર્ચ દરમિયાન ક્રાબીમાં યોજવામાં આવશે. થાઈલેન્ડમાં ઐતિહાસિક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ પ્રદર્શનનું સમાપન કરીને, 19 માર્ચે પવિત્ર અવશેષો થાઈલેન્ડથી તેમના સંબંધિત ઘરોમાં પાછા ફરવામાં આવશે.


