By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂપાલાને ચાલુ રાખવાનું પાર્ટીનું વલણ પરંતુ સળગેલા ક્ષત્રિય સમાજના રોષનું શું ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રૂપાલાને ચાલુ રાખવાનું પાર્ટીનું વલણ પરંતુ સળગેલા ક્ષત્રિય સમાજના રોષનું શું ?

agragujaratnews
Last updated: 2024/04/04 at 3:27 AM
2 years ago
Share
રૂપાલાને ચાલુ રાખવાનું પાર્ટીનું વલણ પરંતુ સળગેલા ક્ષત્રિય સમાજના રોષનું શું ?
SHARE

  • ભાજપ માટે આજે ડોશી મરે તેનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી જાય તેની બીક
  • રાજ્યભરમાં જે રીતે ક્ષત્રિય સમાજ આક્રોશ સાથે બહાર આવી રહ્યો છે
  • તેની પાછળનાં કારણોમાંનું એક કારણ ક્ષત્રિયો આજકાલ પાવર સેન્ટરથી દૂર થઇ ગયા છે તે પણ છે

ગુજરાતમાં અજય રહેલું ભાજપ પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસને કારણે એક મોટા વિવાદમાં ફસાઇ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજેતા બનતું ભાજપ ગુજરાતમાં હેટ્રિક કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે રૂપાલાને કારણે ભાજપ મૂંઝવણમાં મુકાયું છે. પોતાને શબ્દોના ખેરખાં સમજતા રૂપાલા શબ્દોને કારણે ફસાઇ ગયા છે. રૂપાલાની ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણી આજે ભાજપના ગળામાં ફાંસ બનીને અટકી ગઇ છે. રાજ્ય ભાજપના મોવડીઓ આજે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગીને રૂપાલાની ઉમેદવારી ચાલુ રાખશે તેવા સંકેતો આપી દીધા છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે ફાટી નીકળેલા રોષને શાંત કરવા શું કરવું તેનો ઉપાય હજુ સુધી પાર્ટી પાસે નથી.

આમ જોવા જઇએ તો ગુજરાતમાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનું રાજકીય વૈમનસ્ય વર્ષો જૂનું છે. કૉંગ્રેસમાં ક્ષત્રિય નેતા તરીકે માધવસિંહ સોલંકીએ એકચક્રી રાજ કર્યું હતું. ભાજપના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કાઠું કાઢયું. તો ભાજપમાં વાઘેલા સામે કેશુભાઇ પટેલની ધરી પણ મજબૂત બનીને ઊભરી હતી. જ્યારે રાજ્યમાં ભાજપની સત્તા આવી ત્યારે મુખ્યમંત્રી પદ પટેલ નેતા કેશુભાઇ પાસે ગયું. જેની ચોટ શંકરસિંહને કાળજે વાગી હતી. આખરે ખજૂરિયા-હજૂરિયા પ્રકરણ ભાજપમાં ભજવાયું. ભાજપમાં બળવો થયો. શંકરસિંહે મુખ્યમંત્રીની ગાદી કબજે કરી. ક્ષત્રિય નેતાઓથી શંકરસિંહે મંત્રીમંડળ ભરી દીધું હતું. સમય ગયે શંકરસિંહને ભાજપે ઉથલાવી દીધાં. કેશુભાઇ પટેલને રાજ્યના મુખ્યમંત્રીની ગાદી મળી. મંત્રીમંડળમાં અને સરકારમાં હવે પટેલોનો દબદબો હતો. ત્યારબાદ સાબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં. પરંતુ પટેલો અને ક્ષત્રિયો વચ્ચેની પાવર વૉર ક્યારે ખુલ્લી કે ક્યારેક છૂપી રીતે રાજ્યમાં ચાલુ રહી. ક્યારેક પાવર્સ બેલેન્સ કરીને કે ક્યારેક કડકાઇથી ભાજપમાં આ પાવરવૉરને બહાર આવવા ના દેવાઇ પરંતુ આજે દેખાઇ રહ્યું છે કે રાજ્યભરમાં જે રીતે ક્ષત્રિય સમાજ આક્રોશ સાથે બહાર આવી રહ્યો છે તેની પાછળનાં કારણોમાંનું એક કારણ ક્ષત્રિયો આજકાલ પાવર સેન્ટરથી દૂર થઇ ગયાં છે તે પણ છે. એક જમાનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હરીસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, વજુભાઇ વાળા જેવા ક્ષત્રિયોએ સંભાળ્યું હતું. આજે ક્ષત્રિયો પાવર સેન્ટરથી બહુ દૂર છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની આ લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે તેનું પરિણામ આખા રાજ્યમાં દેખાઇ રહ્યું છે.

રાજ્યમાં ક્ષત્રિયો રૂપાલા સામે અને રૂપાલાને નહીં બદલે તો ભાજપ સામે રોષ ઠાલવવા ઠેરઠેર દેખાવો કરી રહ્યા છે. ત્યારે નવાઇની વાત એ છે કે ભાજપ જેવી ધરખમ પાર્ટી પાસે આજે રાજ્યમાં કોઇ એક એવો ક્ષત્રિય ચહેરો નથી કે જે સમાજના લોકો સાથે બેસીને વાત કરે, તેમને સમજાવે અને તેમનો રોષ ઠંડો પાડે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે ક્ષત્રિય નેતાઓ જોડે બેઠક કરી તેમાં હાજર રહેલા ભાજપના નેતાઓની યાદી જોઇએ તો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, આઇ. કે. જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ સરવૈયા જેવા નામો બહાર આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે આ નેતાઓ પાસે પાવર કેટલો છે. એકમાત્ર બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી છે તે સિવાય બધા નેતાઓની આગળ ‘માજી’નું ટેગ લાગેલું છે. જે સાંસદ અને ધારાસભ્ય છે તેઓ પાસે કોઇ મંત્રીપદ નથી. ભાજપના સંગઠનમાં પણ આવી જ પરિસ્થિતિ છે. એક આઇ. કે. જાડેજા સહિત બીજા નામો જેવા કે, મહેન્દ્રસિંહ સરવૈયા, કૌશલ્યા કુંવરબા જેવા નામો સંગઠનમાં છે પરંતુ તેમનો અવાજ કેટલો છે તેની સૌને ખબર છે. આમ, ક્ષત્રિયોની પાવર્સ સેન્ટરમાંથી બાદબાકીથી આખો સમાજ નારાજ છે. તેનો રોષ પણ અત્યારે રાજ્યભરમાં દેખાઇ રહ્યો છે.

ભાજપ માટે આજે ડોશી મરે તેનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી જાય તેની બીક છે. ભાજપને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં બહુ વાંધો ના હોઇ શકે. પરંતુ રૂપાલાનું ઉદાહરણ લઇને બીજા ઉમેદવારો સામે રાજ્યભરમાં દેખાવો શરૂ થઇ જાય તેની પણ મોટી ચિંતા છે. જાણકારોએ તો ભાજપે શરૂઆતમાં ઉમેદવારોની જાહેરાત કરી અને ચારેય જગ્યાએ જે રીતે ઉમેદવારો બદલ્યાં ત્યારે જ ચેતવણી ઉચ્ચારી હતી કે, રાજકારણમાં આ પ્રથા બહુ ઘાતક બની શકે છે. ભાજપે ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ કરવા જેવી ન હતી. જ્યારે ઉમેદવારો જાહેર કરવા હતા ત્યારે જ પૂરતી ચકાસણી કરવા જેવી હતી. એકવાર ઉમેદવાર જાહેર થઇ ગયા પછી નામ રદ થયા તેના સંકેતો રાજ્યભરમાં ખોટા ગયા છે. આની પાછળ પણ રાજ્ય ભાજપમાં ચાલતી નેતાઓ વચ્ચેની પાવર વૉર કારણભૂત હોવાનું ચર્ચાય છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ
ગુજરાત

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Editor By Editor 3 days ago
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?