- રિનોવેશન દરમિયાન નાઈટકલબમાં આગની ઘટના બની
- ભીષણ આગમાં 29 લોકો જીવતા ભૂંજાઈ ગયાં
- નાઈટકલબમાં ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવાઈ
તુર્કીમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. તુર્કીની રાજધાની ઈસ્તાંબુલ શહેરમાં એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 29 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓ તરફથી અપાયેલા નિવેદન મુજબ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, ઈસ્તાંબુલ સ્થિત નાઈટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. નાઈટ ક્લબ બેસિકતાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા લોકો ક્લબના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી
આ પહેલા ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી 15 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. જો કે થોડી જ વારમાં મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસ્તાંબુલ પ્રશાસને આ ઘટના અંગે પૂછપરછ માટે ઘણા લોકોની અટકાયત કરી છે. જેમાં ક્લબ અને રિનોવેશનના કામ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.


