- સુરત કલેકટર સમક્ષ નિલેશ કુંભાણી અને તેમના વકીલે કરી દલીલ
- ROએ અમારી અરજીનો નિકાલ નથી કર્યો : બી.એમ.માંગુકિયા
- સહી છે કે નહી તેની જ તપાસ થાય : બી.એમ.માંગુકિયા
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે?. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી હતી જે શરૂ થઈ ચુકી છે. આ સુનાવણીને લઈ કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે?ત્યારે આ મામલે ગઈકાલે નૈષધ દેસાઈનું કહેવુ હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. તો આ મામલે એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈ નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી.
આ સમાચાર વધુ અપડેટ થઈ રહ્યાં છે


