- રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું
- રાજકોટ શહેર અને જિલ્લામાં સંવેદનશીલ બુથની સંખ્યા 1032 થઈ
- તમામ બૂથ પર પેરામિલેટરીનો સ્ટાફ તૈનાત કરાશે
રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની ઇફેક્ટ જોવા મળી છે. જેમાં રાજકોટમાં વધુ 210 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સંવેદનશીલ બુથની સંખ્યા 1032 થઈ છે. બૂથ ઉપર વધુ પોલીસ પેરામિલેટરીનો સ્ટાફ તૈનાત કરાશે. તેમજ 12 કંપનીની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધી 822 એટલે કે 30 ટકા જેટલા બૂથ સંવેદનશીલ હતા. હવે 210 નો ઉમેરો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં 210 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા
લોકો નિર્ભિક મતદાન કરી શકે તે માટે પેરા મીલેટરી ફોર્સ માઇક્રો ઓબ્ઝર્વેરની નિમણૂક કરવામાં આવશે. રાજકોટમાં 210 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં જિલ્લામાં સંવેદનશીલ બૂથની સંખ્યા 1032 થઈ છે. તેમજ ક્ષત્રિય આંદોલનને લઈ તમામ બૂથ પર બંદોબસ્ત રહેશે. તથા તમામ બૂથ પર પેરામિલેટરીનો સ્ટાફ તૈનાત કરાશે. જેમાં પેરામિલેટરીની 12 કંપનીની માંગ કરાઈ છે. તથા માઈક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરાશે.
રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજની માગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. એના ભાગરૂપે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે. જોકે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સૌપ્રથમ અન્નત્યાગ પર ઊતર્યાં હતાં એ પદ્મિનીબા વાળા દેખાયાં નહોતાં.


