- વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રચંડ ચૂંટણી પ્રચાર
- રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચારરસ્તા સુધી અમિત શાહનો રોડ-શો
- અમિત શાહનો રોડ-શોને લઇ ભાજપના કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ
વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાન બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. દિવસેને દિવસે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે વડોદરામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચારઅર્થે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ખુદ વડોદરામાં રોડ શો યોજાયો છે. આ રોડ શોને ધ્યાને રાખીને સેન્ટ્રલ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસની ટીમે એરપોર્ટથી લઇને રોડ શોની શરૂઆત અને અંતના પોઇન્ટ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. રણમુક્તેશ્વરથી લઇને માર્કેટ ચાર રસ્તા સુધી અમિત શાહનો રોડ શો યોજાયો છે.
ઝઘડિયામાં શું કહ્યું અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયામાં જનસભા સંબોધી હતી જેમાં તેમણે શરૂઆત ભાજપ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાથી કરી હતી અને કહ્યુ કે મનસુખભાઈનો પ્રચાર કોઈ કરી શકે તો તે મનસુખ ભાઈ જ કરી શકે,સભાની શરૂઆત પહેલા જયશ્રી રામના લાગ્યા નારા.અમિત શાહે કીધુ કે ગરબડ કરશો તો અર્બન નકસલ આવશે અને બધુ બગાડશે,મારી સરકાર આદીવાસીઓની સરકાર છે.સુરતના મતદારોએ ચૂંટણી પહેલા જ કમળની ભેટ આપી,કોગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે.દેશના ગરીબોને મફત સારવારની સુવિધા અપાઈ છે.મનસુખ ભાઈ એવુ ભૂત છે કે જે કોઈ ગામમા ના ગયુ હોય,ભાજપ સરકારે દિકરીને રાષ્ટ્રપતિ બનાવ્યા.આદિવાસી કલ્યાણ યોજના ભાજપ સરકારે બનાવી છે,કોગ્રેસ સરકારમાં આદિવાસીઓ માટે 28000 કરોડનું બજેટ હતુ અમે વધારીને 1 લાખ 33 હજાર કરોડ કર્યુ.આપ પાર્ટી જુઠ્ઠાણુ ફેલાવવાનું કામ કરે છે.ભરૂચમાં 2 જૂઠ્ઠાઓ ભેગા થયા છે.નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે,મનસુખ વસાવા માટે કોઈ સભા કરવાની જરૂર નથી.અટલ બિહારી વાજપાયી પીએમ બન્યા ત્યારે આદિવાસી મંત્રાલય બન્યું,UCCનું બિલ જોયુ તમને કઈ નુકસાન નહી થાય,4 કરોડ ગરીબોના ઘરે ગેસ પહોંચાડવાનું કામ મોદીએ કર્યુ છે.મનસુખ વસાવાને મત આપજો માટે ભરૂચ આવ્યો છુ.મનસુખ વસાવા ચિપકુ માણસ છે તે સતત જીતે છે.


