- સભા પૂર્વે હાર્ટએટેક આવતા ભરત પટેલનું મોત
- લોકસભા ઉમેદવારની પ્રચારસભા પૂર્વે આવ્યો હાર્ટ એટેક
- ઊંઝા તાલુકાના કહોડા ગામે હતી જનસભા
ઊંઝા તાલુકાના કહોડા ગામે લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની સભા પૂર્વે ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પટેલને હાર્ટએટેક આવતાં મોત નિપજ્યું હતું. જેને લઇ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત ગ્રામજનોમાં શોક છવાઈ ગયો હતો.
સભા સ્થળે મચી દોડધામ
કહોડા ગામે ગોગા મહારાજની વાડીમાં મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની સભા યોજાનાર હતી. તે પૂર્વે કહોડા ગામના વતની અને ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ મફતલાલ પટેલને હાર્ટએટેક આવતાં તેઓ સભા સ્થળે ઢળી પડયા હતા. જેથી ઊંઝા તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ સહિત અગ્રણીઓ કહોડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ઊંઝા ખાનગી હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં તેમનું મોત નિપજયું હતુ.
એક રીપોર્ટ અનુસાર દર 7 મિનિટે એક વ્યકિતને આવે છે હાર્ટએટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.
હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ
હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ.
શું છે હાર્ટ એટેક
જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.
હાર્ટ એટેકનાં લક્ષણો
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.


