- શહેનાઝ ઉર્ફે મોહમદ અલીની બિહારથી ધરપકડ કરવામાં આવી
- હત્યાના ષડયંત્રના મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
- હિન્દુ નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાનું કાવતરું રચ્યું હતુ
સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રના મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે. જેમાં આરોપી મહમદ અલીને સુરત કોર્ટમાં રજૂ કરાયો છે. શહેનાઝ ઉર્ફે મોહમદ અલીની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ મૌલવીના સંપર્કમાં મોહંમદ અલી હતો. સુરતમાં હિન્દુ નેતાની સોપારીના કેસમાં આરોપી મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કરાતા
આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સેહનાઝ એજ મોહમ્મદ અલી નીકળ્યો
વધુ એક આરોપી મહમદ અલીની ધરપકડ થતા કોર્ટમાં રજુ કરાયો છે. સેહનાઝ એજ મોહમ્મદ અલી નીકળ્યો છે. નેપાળ બોડૅર વાયા બિહારથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં મૌલવીના સંપર્ક મોહંમદ અલી હતો. તેમજ બન્ને પાકિસ્તાનના સીધા સંપર્કમાં હતા. જેમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાનું કાવતરું રચ્યું હતુ. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત સંપર્કમાં હતો.
મુસ્લિમ બાળકોને ઇસ્લામ પર ખાનગી ટ્યૂશન આપતો
તાજેતરમાં જ સુરતમાં એક મૌલવીની એક હિન્દુ સંગઠનના નેતાની હત્યા સહિતની અન્ય ઘટનાઓના ષડયંત્ર બનાવવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. સુરતના પોલીસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મૌલવી સોહેલ અબુબક્ર તિમોલ (27) તરીકે જણાવી હતી. જે એક દોરા ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે મુસ્લિમ બાળકોને ઇસ્લામ પર ખાનગી ટ્યૂશન આપતો હતો.
પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો
ગેહલોતે જણાવ્યું કે, પકડાયેલો આરોપી એક ટીવી ચેનલના મુખ્ય સંપાદકની સાથો સાથ ભાજપના તેલંગાણા ધારાસભ્ય રાજા સિંહ અને પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પોતાના આકાઓ સાથે મળીને ધમકી આપવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાન અને નેપાળના લોકોની સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. કસ્ટડીમાં લેવાયા બાદ તેમના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક સામગ્રી મળી, જેમાં ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડની ઓફર પણ સામેલ હતી. તેના માટે તેઓ પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો.


