- હમાસ અને ઈઝરાયલ વચ્ચે સાત મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલની સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં બંધકોના મૃતદેહ મળ્યા
- હમાસે ગત સાત ઑક્ટોબરે ઈઝરાયલમાં હુમલો કરી લોકોને બંધક બનાવ્યા હતા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિનાથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. બંને પક્ષે કોઈ એકબીજાને મચક પણ નથી આપી રહ્યા. જો કે આ દરમિયાન ગત રોજ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.
હમાસે બંધક બનાવવામાં આવેલા ત્રણ ઈઝરાયેલી નાગરિકોના મૃતદેહ ગાઝા પટ્ટીમાંથી મળી આવ્યા હતા. એક દિવસ પછી, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે શનિવારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી અન્ય બંધકનો મૃતદેહ મેળવ્યા હતા. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે સૈન્યએ ગાઝા પટ્ટીમાં અન્ય બંધકનો મૃતદેહ મેળવ્યો હતો. શનિવારે જે બંધકનો મૃતદેહ મળી આવ્યો હતો તેની ઓળખ 53 વર્ષીય રોન બેન્જામિન તરીકે થઈ હતી, જેનું 7 ઓક્ટોબરની સવારે હમાસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
હગારીએ જણાવ્યું હતું કે બેન્જામિનને 7 ઓક્ટોબરે મેફેલસિમ નજીક હમાસના આતંકવાદીઓએ માર્યો હતો અને તેના મૃતદેહને ગાઝામાં બંધક તરીકે લઈ જવામાં આવ્યો હતો. IDFએ જાહેરાત કરી કે તેણે રાતોરાત ઓપરેશનમાં તેના અવશેષો મેળવ્યા છે.
બંધકોના મૃતદેહ મળી આવ્યા
હગારીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે થયેલા ઓપરેશનમાં ઈત્ઝાક ગેલર્ન્ટર, અમિત બુસ્કીલા અને શનિ લૌક સાથે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બેન્જામિનને છેલ્લે 7 ઓક્ટોબરના રોજ સવારે 7:30 વાગ્યે બંધક કરાયો હતો. જ્યારે તેણે તેની બે પુત્રીઓમાંથી એક માટે ઓડિયો સંદેશ છોડ્યો હતો.તે દિવસે સવારે, બેન્જામિન સવારે 6:30 વાગ્યે મિત્રોને મળવા માટે કિબુત્ઝ બીરી નજીક બાઇક રાઇડ માટે નીકળ્યો હતો. જ્યારે તેણે સાયરન સાંભળ્યું ત્યારે તેણે પાછા ફરવાનું અને ઘરે જવાનું નક્કી કર્યું હતું. તેણે તેની પત્ની એલેટ સાથે વાત કરી અને તેની પુત્રી માટે એક સંદેશ છોડી દીધો.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ
રિપોર્ટ અનુસાર, ગત રોજ ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે ચાલતી લડાઈમાં આઈડીએફને યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ત્રણ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેયની ઓળખાણ ગેલેરેન્ટર, અમિત બુસ્કિલા અને શનિ લૌક તરીકે કરાઈ હતી.
હમાસે સાત ઑક્ટોબરે બર્બર હુમલો કર્યો
આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું કે સૈ્ય અને શિન બેટ દ્વારા આખીરાત ચલાવેલા ઓપરેશનમાં મૃતદેહો મળી આવ્યા છે. હમાસની આગેવાની વાળા સાત ઑક્ટોબરના હુમલાની સવારે સંગીત સમારોહમાં હતા જ્યાંથી તેઓ મેફલ્સિમ ક્ષેત્રમાં ફરાર થયા હતા. હગારીએ આગળ જણાવ્યું કે તેઓને ત્યાં હમાસના આતંકવાદીઓને માકી નાથ્આ અને પછી તેમના મૃતદેહોને ગાઝા લઈ ગયા હતા. અત્યાર સુધી બંધકોમાંના જેલેરેન્ટર અને બુસ્કિલા બંનેને જીવતા મનાઈ રહ્યા હતા. પરંતુ હવે બંનેના મોત થયાનો ખુલાસો થયો છે. બંધકોમાં એકનું મોત થયાનું પહેલા જ સામે આવ્યું હતું.


