- સરકારે નોટિસ આપ્યા બાદ પણ મકાન ખાલી ન કરાયા
- મકાન ખાલી ન કરવાને લઈ કર્મીઓ સામે કરાશે કાર્યવાહી
- ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એક્ટ મુજબ કરાશે કાર્યવાહી
માથે મોત લઈને જીવતા સરકારી કર્મચારીઓ અને તેમના પરીવાર જનોને વારંવાર નોટીસ ફટકારવામાં આવી છે. ગાંધીનગર શહેરમા 1275 ભયજનક મકાનોમાં રહે છે કર્મચારીઓ સરકારે નોટીસ આપ્યા હોવા છતાં ખાલી ન કરતા સરકારની લાલ આંખ. ખાલી ન કરતા કર્મચારીઓ સામે ગુજરાત પબ્લિક એંડ પ્રીમાઈસીસ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે
1257 ભયજનક મકાનોમાં રહે છે સરકારી કર્મચારીઓ
માર્ગ અને મકાન વિભાગે આવા મકાન ખાલી કરવાની સત્તા હવે ગાંધીનગર મનપા કમિશનરને સોપી છે. સેક્ટર-6 માં કુલ-51 આવાસ, સેક્ટર-7 માં કુલ-132 આવાસ,સેક્ટર-12 માં કુલ-15 આવાસ, સેક્ટર-13 માં કુલ-7 આવાસ, સેક્ટર-16માં કુલ-38 આવાસ, સેક્ટર-17માં કુલ-73 આવાસ, સેક્ટર-19 માં કુલ-2 આવાસ, સેક્ટર-20 માં કુલ-94 આવાસ, સેક્ટર-21 માં કુલ-138 આવાસ, સેક્ટર-22 માં કુલ- 177 આવાસ, સેક્ટર-23 માં કુલ-153 આવાસ, સેક્ટર-24 માં કુલ-20 આવાસ, સેક્ટર-28 માં કુલ-155 આવાસ, સેક્ટર-29માં કુલ-160 આવાસ, સેક્ટર-30 માં કુલ-60 આવાસ, આમ કુલ 1275 ભયજનક/જર્જરીત જાહેર કરેલ સરકારી આવાસો છે.
તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી
ગાંધીનગરના 1275 સરકારી આવાસો ભયજનક હોવા છતાં તેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી. આથી પાટનગર યોજના ભવન દ્વારા આવા કર્મચારીઓને વારંવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. પાટનગર યોજના વિભાગે કરેલા સર્વે મુજબ શહેરમાં સરકારી કર્મચારીઓ માટેના 5120 આવાસો ભયનજક છે. આવા આવાસો તોડીને બહુમાળી ટાવર બનાવીને સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ નવી ભરતીને કારણે કર્મચારીઓની સંખ્યા વધતા તેની સામે પુરતા ક્વાર્ટર નથી જેથી કર્મચારીઓ ભયજનક હોવા છતાં આવાસ ખાલી કરતા નથી.
ચાર દાયકા કરતા પણ વધુ જૂના આ મકાનમાં ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી સંભાવના
ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે વિવિધ કેટેગરીના 13222 આવાસોમાંથી 5120 આવાસો જર્જરીત હાલત હોવા છતાં 1275 જર્જરીત આવાસોમાં સરકારી કર્મચારીઓ પરિવાર સાથે રહી રહ્યા છે.ચાર દાયકા કરતા પણ વધુ જૂના આ મકાનમાં ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી સંભાવના વચ્ચે પણ આ કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે.


