જે શાળાને સીલ લાગ્યું હશે તેવી શાળાના ધો.10 ના વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણનો પ્રશ્ન ઉપસ્થિત થશે
રાજકોટમાં અગ્નિ કાંડ થયા પછી જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તેવી શાળાઓને સીલ મારવામાં આવી રહ્યા છે ત્યારે એડમિશન પ્રક્રિયા નવા શિક્ષકોની ભરતી તથા ધો.10 ના વિદ્યાર્થીઓને સોમવારથી માર્કશીટ નું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે આવી શાળાના વિદ્યાર્થીઓ વિતરણ કરવા માટે પ્રશ્ન ઉપસ્થિત થશે.
અગ્નિ કાંડ પછી જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી અથવા તો રીન્યુ નથી કરાવ્યું તેવી શાળાઓને સીલ મારી દેવામાં આવ્યા છે ત્યારે મહત્વનો પ્રશ્ન એ ઉભો થયો છે છે નવા શૈક્ષણિક સત્રથી નવા એડમિશન આપવાની પ્રક્રિયા આ સમય ગળા દરમિયાન ચાલતી હોય છે જેના કારણે અત્યારે આવી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અટકી પડી છે. તેમજ ધો.10 નુ પરીણામ જાહેર થઈ ગયુ છે અને આજથી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને માર્કશીટ નુ વિતરણ કરવામાં આવશે અને શાળાઓ દ્વારા બાળકોને સોમવારથી માર્કશીટ આપવાનુ શરૂ કરવામાં આવશે ત્યારે આવી સીલ લાગેલી શાળાના બાળકોને માર્કશીટ નું વિતરણ કેવી રીતે કરવું તે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે આમ હાલ તમામ શાળાઓમાં નવી એડમિશન પ્રક્રિયા અને નવા શીક્ષકોની ભરતી અટકી પડી છે તેવુ શીક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એક કર્મચારીનું કહેવું છે.
વિદ્યાર્થીઓને L.C. કાઢી આપવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો
કોઈ પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બીજી સારી શાળામાં એડમીશન લેવા ખાસ એલ.સી.ની જરૂર પડે છે અને એલ.સી.વગર બીજી શાળાઓમાં પ્રવેશ મળતો નથી ત્યારે જે શાળાઓને સીલ મારી દેવામાં આવ્યા છે તેવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એલ.સી.કઢાવવા માટે મોટો ગંભીર પ્રશ્ન ઉભો થશે તેવું શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓનું કહેવું છે.


