By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અગ્નિકાંડમાં SITનો નવો ઘટસ્ફોટ : 25 મેના આગ લાગી ને 26 મીએ ખોટા દસ્તાવેજો ઉભા કરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અગ્નિકાંડમાં SITનો નવો ઘટસ્ફોટ : 25 મેના આગ લાગી ને 26 મીએ ખોટા દસ્તાવેજો ઉભા કરાયા

agragujaratnews
Last updated: 2024/06/14 at 6:33 PM
2 years ago
Share
અગ્નિકાંડમાં SITનો નવો ઘટસ્ફોટ : 25 મેના આગ લાગી ને 26 મીએ ખોટા દસ્તાવેજો ઉભા કરાયા
SHARE

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં સ્પે. પીપી. તુષાર ગોકાણી દ્વારા કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનાવના 1 દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના ઓરિજનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ કહ્યું કે, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બૂક બનાવવામાં આવી હતી. 4 મેના રોજ કોઇ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં આવી નહોતી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. પોલીસ દ્વારા IPCની કલમ 201નો ઉમેરો કરવા બબાતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. IPC 201 પુરાવાનો નાશ કરવા બાબતે લાગુ કરવામાં આવતી હોય છે. 25મેના રોજ TRP ગેમ ઝોનમાં દુર્ઘટના બની હતી. તેમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા સાગઠિયાને એવો ભય હતો કે, પોલીસ ગમે ત્યારે તેની પૂછપરછ કરી શકે છે. આથી સાગઠિયાએ એટીપીઓ રાજેશ મકવાણાને આદેશ કર્યો હતો કે, આપણું જે ટીપી ટેક્નિકલ નામનું જે વોટ્સએપ ગ્રૂપ છે તેમાં એક મેસેજ મૂકી દો કે 27 મે 2024ના રોજ સાંજના 6:30 કલાકે તમામે હાજર રહેવું. આથી મકવાણાએ 27 મેના દિવસે જ સાંજે 4:36 કલાકે સાગઠિયાએ આપેલા આદેશ મુજબ મેસેજ મૂકી દીધો હતો. ત્યાર બાદ ટેક્નિકલ શાખાના તમામ કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન ટીપી શાખાની ઓફિસમાં હાજર થયા હતા. આ સમયે સાગઠિયાએ તમામને એવું કહ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે અને પોલીસ કોઇપણ સમયે મારી પૂછપરછ કરી શકે તેમ છે. જેથી મારા બચાવ અર્થે મેં મારે લેવાની થતી સમયાંતરેની મિટિંગ લીધેલ હોય કે ન લીધેલ હોય પરંતુ સમયાંતરેની તમામ મિનિટ્સ નોટ બનાવેલ છે તેમાં તમારે બધાને લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ છે. જેથી હાજર સ્ટાફે વિગતો જોયા પછી જ સહી કરવાનું કહેતા સાગઠિયા ઉગ્ર થઇ ગયા હતા અને ‘તમારે આમાં સહી કરવાની જ’ તેવો આદેશ આપતા તમામ ટેક્નિકલ સ્ટાફના કર્મચારીઓએ ડુપ્લિકેટ મિનિટ્સ બુકમાં એક સાથે સહીઓ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગેમ ઝોનમાં કોની કેટલી ભાગીદારી હતી તે મામલે આરોપીની કરેલી પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક પ્રકાશ જૈન સૌથી મોટો 60 ટકાનો ભાગીદાર હતો. તે દુર્ઘટના સમયે લોકોને બચાવવા જતાં પોતે પણ આગમાં હોમાઇ ગયો હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી-રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકી એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવતો હતો. જ્યારે ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાનો 10-10 ટકા ભાગ હોવાનું ખૂલ્યું હતું. ગેમ ઝોન જે જગ્યા પર ચાલતો એ જમીન કિરીટસિંહ અને તેના ભાઇ અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના નામે હતી. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.

27 મૃતકનાં નામ

જિજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉં.વ.34)
સ્મિત મનીષભાઈ વાળા (ઉં.વ.22)
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉં.વ.21)
સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉં.વ.30)
આશાબેન ચંદુભાઈ કાથડ (ઉં.વ.19)
હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉં.વ.20)
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.36)
વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉં.વ.24)
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉં.વ.22)
નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ.19)
જયંત અનિલભાઈ ઘોરેચા (ઉં.વ.45)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.12)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉં.વ.40)
દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.12)
રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉં.વ.15)
નીરવ રસિકભાઈ વેકરિયા (ઉં.વ.20)
શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચૂડાસમા (ઉં.વ.25)
વિવેક અશોકભાઈ દુસારા (ઉં.વ.28)
ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉં.વ.24)
કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉં.વ.22)
ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉં.વ.28)
ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉં.વ.24)
હરિતા રતિભાઈ સાવલિયા (ઉં.વ.25)
મિતેશ બાબુભાઈ જાદવ (ઉં.વ.30)
પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉં.વ.45)
મોનુ કેશવ ગૌંડ (ઉં.વ.21)
અક્ષય કિશોરભાઈ ઢોલરિયા (ઉં.વ.28)

You Might Also Like

ઉપલેટાના ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો

 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી

 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી

Editor By Editor 2 days ago
 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ
ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો
 મનપાનું તા.૨૫મીએ જનરલ બોર્ડ, કોંગ્રેસના એક પણ નગરસેવક પ્રશ્ન નહીં પૂછે
ચૈતર વસાવાની સજા પર સ્ટે આવશે તો જ ધારાસભ્ય ગણાશે: વિધાનસભા ઉપાઘ્યક્ષ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?