- કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે
- મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
- ટેટ 1 – 2 પાસ ઉમેદવારો માટે નિયમ બનાવી ભરતી કરાશે
કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરશે. તેમાં 7500 શિક્ષકોની ભરતી કરાશે. તથા 3 મહિનામાં ભરતી કરાશે. ટેટ 1 – 2 પાસ ઉમેદવારો માટે નિયમ બનાવી ભરતી કરાશે. હાલમાં જ TET- TATના ઉમેદવારોના આંદોલનની અસર જોવા મળી છે. જેમાં મુખ્યમંત્રીએ શિક્ષકોની ભરતીને લઇ બેઠક બોલાવી અને તાત્કાલિક આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ સચિવ અને અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગેની વિગત મુદ્દે ચર્ચા થઇ હતી. તેમાં ઉમેદવારોના આંદોલનની અસર દેખાઈ છે. જેમાં મુખ્યમંત્રી દ્રારા શિક્ષકોની ભરતીને લઈ બેઠક બોલાવાઈ હતી. કેટલી જગ્યાઓ ખાલી છે? કયારે કેટલી ભરતી થઈ તેની માહિતી સાથે અધિકારીઓ હાજર થયા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા
ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં હતા ત્યારે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ત્યારે ગઇકાલે TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ગઇકાલે ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.
ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ હતો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યાસંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.


