- એક અઠવાડિયામાં સાત વ્યક્તિઓને કપિરાજે બચકા ભર્યા
- વસ્ત્રાલ રિંગ રોડ પર કપિરાજના આતંકથી સ્થાનિકો પરેશાન
- કપિરાજના આતંકથી છુટકારો મેળવવા સ્થાનિકોએ વન વિભાગને કરી ફરિયાદ
અમદાવાદમાં ફરી એકવાર કપિરાજનો આતંક સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આંતક વધ્યો છે અને રહીશો કપિરાજાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કપિરાજે છેલ્લા કેટલાક દિવસમાં 7 વ્યક્તિઓને બચકા ભર્યા છે.
કપિરાજના આતંકથી સ્થાનિકો થઈ રહ્યા છે હેરાન
વસ્ત્રાલ રિંગ રોડ પર કપિરાજના આતંકથી સ્થાનિકો ખુબ પરેશાન થઈ રહ્યા છે, એક અઠવાડિયામાં સાત વ્યક્તિઓને કપિરાજે બચકા ભર્યા છે અને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. ત્યારે હવે કપિરાજના આતંકથી છુટકારો મેળવવા માટે સ્થાનિકોએ વન વિભાગમાં ફરિયાદ કરી છે અને કપિરાજને વહેલી તકે ઝડપી લેવા માટે જાણ કરી છે. કપિરાજના ડરથી રહીશો કોઈ જગ્યા પર એકલા જતા પણ ડરી રહ્યા છે. ત્યારે વન વિભાગ આ ઘટનાને ગંભીરતાથી લઈને ત્વરીત પગલા ભરે તેવી રહીશોની માગ છે.


