- મનસુખ સાગઠિયાની સંપત્તિની તપાસ માટે ગુજરાત ACB દ્વારા SITની રચના
- SITમાં બે PI અને લીગલ એડવાઈઝરનો સમાવેશ
- ગુજરાત ACB દ્વારા SITની કરાઈ રચના
રાજકોટ અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના TPO મનસુખ સાગઠિયાની સંપત્તિની વધુ તપાસ માટે ગુજરાત ACB દ્વારા SITની રચના કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટરના નેતૃત્વમાં SITમાં બે આસિસ્ટન્ટ ડાયરેકટર અને બે પી આઈ અને લીગલ એડવાઈઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ACB દ્વારા SITની કરાઈ રચના
તમને જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. મનસુખ સાગઠિયાની આવક કરતા વધુ સંપત્તિના કેસ અને મળી આવેલી કરોડોની સંપત્તિ અંગે SIT તપાસ કરશે અને રિપોર્ટ બનાવશે.
જેલમાં મનસુખ સાગઠિયાને થયો કડવો અનુભવ
જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂપિયા 4 લાખની માગણી કરી હતી.
સાગઠિયાને લઈ એસીબીની તપાસ ચાલુ
બીજી તરફ આરોપી સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ મામલે હવે IT વિભાગે તપાસ આદરી છે. માહિતી મુજબ, સાગઠિયાની ઓફિસમાંથી 400 થી વધુ ઘરેણાં મળ્યા હતા, જેમાં 200 ગ્રામ સોનાના હાર, 800 ગ્રામ સોનાનો કંદોરો સામેલ હતા. રૂપિયાના બદલે સાગઠિયા દાગીના લેતો હતો કે કેમ ? તેની તપાસ કરાશે.
સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડ અને 15 કિલો સોનું મળ્યું
મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી હતી. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.


