By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    19 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bharuch: ભરૂચ પંથક જય જગન્નાથના પ્રચંડ નારાથી ગૂંજી ઉઠયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Bharuch: ભરૂચ પંથક જય જગન્નાથના પ્રચંડ નારાથી ગૂંજી ઉઠયો

agragujaratnews
Last updated: 2024/07/08 at 3:18 AM
2 years ago
Share
Bharuch: ભરૂચ પંથક જય જગન્નાથના પ્રચંડ નારાથી ગૂંજી ઉઠયો
SHARE

  • દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ પંથકમાં 3 સ્થાનેથી રથયાત્રાનું આયોજન કરાયું હતું : નગરમાં ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
  • ભરૂચ નગરમાં નીકળેલી ફૂરજા વિસ્તાર, આશ્રાય સોસાયટી તથા ઇસ્કોન આયોજિત ત્રણેય રથયાત્રામાં હજારો સંખ્યામાં ભક્તો જોડાયા
  • ભરૂચ ઇસ્કોનના અધ્યક્ષ ચૈતન્ય મહાપ્રભુ દાસના માર્ગદર્શનમાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ

આજે અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામ સાથે ભરૂચની નગર ચર્યા કરવા નીકળ્યા હતા. માર્ગમાં જણાવ્યા ભક્તોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ નગર ખાતે ત્રણ સ્થાનકો ખાતેથી આજે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ભરૂચ નગર પ્રાચીન નગર હોવાનાં કારણે વર્ષોથી અષાઢી બીજનાં દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સૌથી પ્રાચીન રથયાત્રા ફુરજા વિસ્તારમાંથી નીકળે છે જેનો પવિત્ર ઇતિહાસ ખુબ જૂનો છે આ રથયાત્રામાં જિલ્લાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી રથના દોરડાને ખેંચી ધન્યતા અનુભવે છે. આ રથયાત્રા બપોરે ચાર વાગ્યા બાદ યોજવામાં આવે છે.

આજે તા 7 જુલાઈના રોજ ભરૂચ નગરનાં આશ્રાય સોસાયટી ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જે આશ્રાય સોસાયટી ખાતેથી નીકળી શકિતનાથ સર્કલ થઈ લિંકરોડ અને સોસાયટી વિસ્તાર માંથી પસાર થઈ પરત આશ્રાય સોસાયટીના મંદીર ખાતે આવી હતી.

જ્યારે ઇસ્કોન આયોજિત રથયાત્રાનું આ 10મું વર્ષ છે

ઇસ્કોન આયોજીત રથયાત્રામાં વિવિધ શણગારેલા વાહનો જણાયા હતા. આ રથયાત્રા ભરૂચ નગરના કસક સર્કલ,મકતમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઇ સ્કૂલ ઝાડેશ્વર ખાતે પહોંચી હતી. જયાં સાંજે ભગવાન જગન્નાથની આરતી તેમજ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ ઇસ્કોનના અધ્યક્ષ ચૈતન્ય મહાપ્રભુ દાસના માર્ગદર્શનમાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ રથયાત્રામા હજારો ભકતો જોડાયા હતા..

જયારે ભરૂચની સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરના સમયે આશરે 5 વાગ્યાના અરસામાં આયોજિત થઈ હતી. આ રથયાત્રા નગરનાં ફુરજા ખાતે આવેલ દત્ત મંદિરથી નીકળી મોટા બજાર ચાર રસ્તા, કતોપોર સ્લોપ, ચોકસીવાડ, લાલ બજાર, પશ્ચિમ ચુનારવાડ, જુના બજાર, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, હાજીખાના બજાર, આચારવાડ ખડકી, સોનેરી મહેલ સકર્લ થઈ મોટા ભોઈવાડ ખાતે આવેલ ધોધારાવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

પોલીસનો લોખંડી અને કડક બંદોબસ્ત મુકાયો

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંવેદન શીલ વિસ્તારોમા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી ડ્રોન નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો પોલીસે મકાનોની છત પર પણ કે કેટલાંક પોઇન્ટ ઉભા કર્યા હતા.

રથયાત્રામાં ભરૂચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

ભરૂચ પંથકમા આયોજીત ત્રણ યાત્રાઓમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણાના પુત્ર અજયસિંહ રણા, ધારાસભ્યરમેશ મિસ્ત્ર્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્ર્રી, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી દિવ્યેશ પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભકતો માટે પ્રસાદીની આગવી વ્યવસ્થા કરાઈ

ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં આયોજિત ત્રણ રથયાત્રાના રૂટ પર હજારો ભકતો ભગવાન જગન્નાથ અને તેમના કુટુંબના દર્શન કરવા ઉભા હતા. આ ભકતો માટે પ્રસાદની આગવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજપીપળામાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

વડિયા : રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પૂંજા કરી હતી. ભાવિક ભક્તોએ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી. રથયાત્રા લાલ ટાવર પાસે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. રણછોડજી મંદિર ખાતે વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું.

ઝઘડિયા ખાતે રથયાત્રામાં માનવ મહેરામણ ઊમટયું

ઝઘડિયા ખાતે આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્યા શોભાયાત્રા નીકળી હતી. જે ઝઘડિયાના હનુમાનજી મંદિરેથી નીકળીને ઝઘડિયા મુખ્ય બજાર, થાણા ફ્ળિયા, રાજપુત ફ્ળિયા થઇને લાડવાવળ ધામ પહોચી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રથયાત્રાના દીવસે વરસાદે આંશિક વિરામ લીધો ।

આજે આષાઢી બીજ તા 7 જુલાઇ ના રવિવારે રથયાત્રાના દિવસે જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો હતો. આજે સવારે 6 કલાકે પુરા થતા 24કલાક દરમીયાન જિલ્લાના આમોદ, વાગરા , અંકલેશ્વર હાંસોટ કોરાકટ રહ્યાં હતા. જયારે ભરૂચ 2 મી.મી.,ઝઘડિયા 2 મી.મી.,,વાલિયા 5 મી.મી.વરસાદ નોંધાયો હતો.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
અમરેલી

સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા

Editor By Editor 4 days ago
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?