- વિદ્યાર્થીઓને પિરસાયેલી દાળમાંથી નીકળી જીવાત
- લાખણીના મડાલ ગામની શાળાનો બનાવ
- મડાલ ગામે સ્કૂલના રસોડામાં ગંદકી જોવા મળી
બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. જેમાં બનાસકાંઠામાં મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી છે. વિદ્યાર્થીઓને પિરસાયેલી દાળમાંથી જીવાત નિકળતા વિદ્યાર્થીઓમાં ચકચાર મચી છે. લાખણીના મડાલ ગામની શાળાનો આ બનાવ છે. જેમાં મધ્યાન ભોજનમાં અપાતી દાળ સડેલી હાલતમાં જોવા મળી છે.
મડાલ ગામે સ્કૂલના રસોડામાં ગંદકી જોવા મળી
મડાલ ગામે સ્કૂલના રસોડામાં ગંદકી જોવા મળી રહી છે. દાળમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. લાખણીના ગ્રામીણ વિસ્તારમાં મધ્યાન ભોજન ફરી ચર્ચામાં છે. લાખણીના મડાલ ગામની શાળામાં મધ્યાન ભોજનની દાળ સડેલી હાલતમાં દેખાઇ છે. મધ્યાન ભોજનમાં અપાતી દાળ સડેલી હાલતમાં અને દાળમાં જીવાત નીકળી રહી છે. સંચાલક અને રસોયા દાળમાંથી જીવાત સાફ કરીને દાળ બનાવવા મજબુર થયા છે. સડેલી દાળ બનાસકાંઠાના અનેક મધ્યાનભોજનમાં ચર્ચાનો મુદ્દો બની છે.
સડેલી દાળ પીરસાતી હોવાની બુમરાડ છે
સંચાલકોએ સ્થાનિક તંત્રને અનેક વાર રજુઆત કરી છે છતાં સડેલી દાળનો મુદ્દો ત્યાંનો ત્યાં છે. સરકાર પૌષ્ટિક ખોરાકનો દાવો કરે છે બીજી બાજુ સડેલી દાળ પીરસાતી હોવાની બુમરાડ છે. મડાલ શાળાના મધ્યાન ભોજનનું રસોડુ ગંદકી અને ખંડેર હાલતમાં છે. રસોઈમાં જીવાત આવતા ઘણા બાળકોએ ભોજન ખાવાનું છોડ્યું છે. જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં અનેક સવાલ ઉઠ્યા છે. ખાસ કરીને મધ્યાહ્ન ભોજનમાં અનાજ આવતું હોય છે, તેમાં ઈયળ અને જીવાત મોટા પ્રમાણમાં નીકળી રહી છે. જો કે,જ્યાં બાળકો માટે મધ્યાહ્ન ભોજનનું જમવાનું તૈયાર થાય છે, ત્યાં નથી તો સ્વચ્છતા અને વરસાદી પાણી તરબોળ રહે છે. તો અનેક જગ્યાઓએ મધ્યાહ્ન ભોજન યોજનામાં સામાનને સંચાલકો ઘરભેગું કરતા હોય તેવી આશંકા છે.


